એકતા કપૂર ટેલિવિઝન સીરિયલ્સથી લઇને ફિલ્મી દુનિયાનો જાણીતો ચહેરો છે. એકતા કપૂરને કારણે અનેક લોકોનું કરિયર આગળ વધ્યું છે. એકતાની ફિલ્મ અથવા તો ડ્રામાનો ભાગ બનવા માટે લોકો પોતાની કિસ્મત માને છે. સ્ટાર બનવા માંગતા લોકો એકતા કપૂરની સીરિયલ્સમાં ઓડિશન આપવા માટે લાંબી-લાંબી લાઇનમાં ઉભા રહે છે. પરંતુ નેતાઓ પોતાના ઓળખીતા લોકોને ફિલ્મસ્ટાર બનાવવા માટે જે શોર્ટકર્ટ શોધે છે તે ખરેખર અજીબોગરીબ છે. વાસ્તવમાં એકતા કપૂરે ફિલ્મ લૈલા-મજનૂના ટ્રેલર લૉન્ચ દરમિયાન અમુક ચોંકાવનારી વાતોનો ખુલાસો કર્યો.એકતાએ કહ્યુ કે, ’’કઈ રીતે રાજનેતાઓ પોતાના સંબંધીઓને કામ અપાવવા માટે તેને અવારનવાર ફોન કરતા રહે છે. એકતાએ કહ્યું કે, તેની પાસે અનેક રાજનેતા, એક્ટર્સ અને પ્રભાવશાળી લોકોના કૉલ આવે છે, પરંતુ તે રિસીવ નથી કરતી.’’
એકતા કપૂર ફોન રિસીવ નથી કરતી તો પછી આ બધા કૉલ્સ મારી મમ્મીએ લેવા પડે છે. જોકે એકતાએ કહ્યુ કે, તેની પાસે એવા લોકો માટે જગ્યા નથી જે ફોન પર કામ માંગે છે, જો તેમનામાં ટેલેન્ટ હોય તો ઓડિશન માટે આવે અને આ રીતે કૉલ કરીને સમયના ખરાબ કરે.
એકતા હંમેશા પોતાની સીરિયલ્સ અને ફિલ્મોમાં નવા-નવા ચહેરા લોન્ચ કરે છે. આ વખતે પણ ફિલ્મ લૈલા મજનૂમાં તેણે તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીને લોન્ચ કર્યા છે. આ ફિલ્મને સાજિદ અલીએ ડિરેક્ટ કરી છે. એકતા કપૂર આ ફિલ્મની પ્રોડ્યુસર અને ઇમ્તિયાઝ અલી સ્ક્રીન પ્લે રાઇટર છે. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના થિયેટર્સમાં રિલીઝ થશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ