છેલ્લા ઘણાં સમયથી પાણી માટે સંઘર્ષ કરી રહેલા શહેરના મકતમપુરા વોર્ડની સોસાયટીઓ પૈકી ૧૦ જેટલી સોસાયટીઓમાં રૂપિયા ૪૫ લાખના ખર્ચથી ૧૮૦૦ મીટરની પાણીની લાઈન નાંખવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,ગત બુધવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ વોર્ડના કોર્પોરેટર અસરારબેગ મીરજા દ્વારા ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી સોસાયટીઓને મુખ્યમંત્રી સ્વર્ણિમજયંતિ યોજના હેઠળ પાણીની લાઈનો નાંખવા રજુઆત કરવામાં આવી હતી.આ અંગે મેયર ગૌતમ શાહે કહ્યુ છે કે,નવા પશ્ચિમઝોનના મકતમપુરા વોર્ડમાં બરફની ફેકટરીવાળા રોડ ઉપર આવેલી ૪૦ ચોરસમીટરના મકાનો ધરાવતી ૧૦ જેટલી સોસાયટીઓને પાણી પુરૂ પાડવા માટે ૧૮૦૦ મીટરની લાઈનો નાંખવા આજે ખાતમુર્હત કરવામાં આવ્યું છે.આ સોસાયટીઓને પાણી પુરૂ પાડવા એસ.ટી.પી.ખાતેના બોરથી સોસાયટી સુધી પાણીની લાઈન નાંખવા મેયર બજેટમાંથી ૧૦ લાખ ફાળવવામાં આવ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ