જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ’ધડક’ ૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. બંને સ્ટાર્સની અદાકારીને ફિલ્મમાં ફેન્સે પસંદ કરી છે. પણ આ ફિલ્મ બાદ બંને કઇ ફિલ્મમાં નજર આવશે તે તેનો જવાબ તો જાહ્નવી અને ઇશાન પાસે નથી.
જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જ્યારે પુછવામાં આવ્યું કે હવે ફ્યૂચર પ્લાન શું છે. તો અમે ચૂપ થઇ જઇએ છીએ. સૌથી પહેલાં જાહ્નવીએ કહ્યું કે, મે ઘણાં લોકોને કહેતા સાંભળ્યું છે કે પ્રોજેક્ટ હાલાં પાઇપલાઇનમાં છે. ડિરેક્ટર સાથે વાત ચાલે છે. મને તે તમામ બોલવું અજીબ લાગે છે. ઇશાને તેનાં ફ્યુચર પ્લાન વિશે જવાબ આપતા કહ્યું કે, હું હાલમાં આ વાતનો જવાબ નથી આપી શકતો. જાહ્નવી-ઇશાનનાં નિવેદન સાંભળીને ’ધડક’નાં ડિરેક્ટરે કહ્યું કે, ફિલ્મની રિલીઝ બાદ લોકો બંને સ્ટાર્સને જોશે અને તે બાદ તેમને જે પ્રોજેક્ટમાં લેવા ઇચ્છે તેઓ નક્કી કરશે. આમ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરનો ફ્યુચર પ્લાન શું છે તે વિશે કોઇએ ખુલાસોક ર્યો નથી.
આપને જણાવી દઇએ કે ધડક ફિલ્મે અત્યાર સુધીમાં ૫૮ કરોડ ૧૯ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. એવું માનવામાં આવે છે કે ’મિશન ઇમ્પોસિબલ’ની રિલીઝ બાદ આ ફિલ્મનો બિઝનેસ પ્રભાવિત થયો છે. જોકે ફિલ્મની કમાણી હાલમાં પણ ચાલુ છે જ.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ