કરિશ્મા કપૂર પતિ સંજય સકપૂર સાથે છૂટાછેડા લીધા બાદ સંદીપ તોશનીવાલ સાથે ગાઢ સંબંધ બાંધ્યો છે. આ સંબંધોને આ કપલ વધુ આગળ વધારવા માંગે છે તેવી ચર્ચા થઇ રહી છે. કરિશ્માના પિતા રણધીર કપૂર તો કેટલાય સમયથી કરિશ્મા લગ્ન કરે તેમાં તેમને કોઇ વાંધો નથી તેમ કહ્યા કરે છે. હવે એવું લાગી રહ્યું છે કે આ પ્રેમી યુગલ લગ્ન કરવાનું છે.
દીવાળી બાદ કરિશ્મા અને સંદીપ લગ્ન કરે તેવી વાત છે. નવેમ્બર માસના અંતમાંની એક તારીખ નક્કી થઇ ગઇ છે. આ લગ્ન ૨૦૧૮માં જ થવાના છે. થોડા જ દિવસોમાં લગ્નની તૈયારીની શરૃઆત થવા લાગશે.કરિશ્મા સાદાઇથી લગ્ન કરવા ઇચ્છે છે તેને આ લગ્નમાં કોઇ ધૂમધડાકા જોઇતા નથી. સંદીપના પણ આ બીજા લગ્ન છે.
કપૂર પરિવાર સાથે જોડાયેલા સૂત્રના પ્રમાણે રણધીર કપૂર અને કરીના ઇચ્છે છે કે, કરિશ્માએ ભૂતકાળને ભૂલી જઇને આગળ વધવું જોઇએ. તેણે પોતાના જીવનની નવી પારી શરૃ કરવી જોઇએ, જેથી તે ભૂતકાળની કડવાશ અને ખરાબ અનુભવોને ભૂલી શકે.
કરિશ્માના અનુસાર પતિ સંજય સાથે તેના બહુ જ ખરાબ દિવસો ગયા છે. છતાં તે પોતાના સંતાનો ખાતર સહન કરતી હતી. નાની-નાની વાતોમાં પણ સંજયે કરિશ્માને મેણાંટોણાં અને હેરાન કરવામાં કોઇ કસર છોડી નહોતી અંતે તેણે પતિથી છૂટા થવાનો નિર્ણય લીધો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ