રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસથી છેડો ફાડી ચૂકેલા શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા આજે અષાઢી બીજનાં શુભ દિવસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. વધુ એક ક્ષત્રિય નેતાની એન્ટ્રીથી પાર્ટીને મજબૂતી મળશે. મહેન્દ્રસિંહને બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાનું અમિત શાહે વચન આપ્યું છે અને આ વચનનાં આધારે જ મહેન્દ્રસિંહે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિધિવત રીતે મહેન્દ્રસિંહને આવકાર્યા હતાં.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ