Aapnu Gujarat
મનોરંજન

હું રણબીરની માના રોલ માટે તૈયાર નહોતી : મનીષા

‘સંજુ’ રીલિઝ થઈ તેને અગિયાર દિવસ થયાં છે. આ અગિયાર દિવસમાં રણબીરની ફિલ્મે બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યાં છે. જોકે, જેમ જેમ આ ફિલ્મની કમાણી થઈ રહી છે તેમ તેમ ફિલ્મની ઓફસ્ક્રિન વાતો પણ સામે આવી રહી છે. ફિલ્મમાં સંજય દત્તની માનો રોલ મનીષા કોઈરાલા અને પિતાનો રોલ પરેશ રાવલે કર્યો છે. જોકે, સંજય દત્તની માનો રોલ કરવા માટે મનીષા કોઈરાલા પહેલા તૈયાર નહોતી.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મનીષા કોઈરાલાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યારે મનીષાને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે મનીષાએ કહ્યું હતું કે,’બિલકુલ, આ કામ પડકારજનક હતું પરંતુ ખૂબ જ સારુ રહ્યું હતું. આસરે ૨૪ વર્ષ પહેલા મેં વિધુ વિનોદ ચોપડા માટે એક લવસ્ટોરી કરી હતી.’ આ પછી મનીષાએ વધુમાં ઉમેર્યું હતું કે,’રાજુએ મને ફોન કર્યો ત્યારે હું સંજુ કરવા માટે તૈયાર નહોતી. જોકે, હું હિરાણી અને અન્ય ટીમને મળી તો મને લાગ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ.’
જ્યારે મનીષાને પૂછવામાં આવ્યું કે તમે કયા કારણોસર આ ફિલ્મ નહોતા કરવાના તો તેના જવાબમાં મનીષાએ જણાવ્યું કે,’આ ફિલ્મમાં અનેક ચીજો એવી હતી ઉદાહરણ તરીકે નરગિસજી અને મારી એક જ રીતની હેલ્થ હિસ્ટ્રી રહી છે. તો હું બીજીવાર તે ફેઝમાં જવા ઈચ્છતી નહોતી. આ ઉપરાંત હું રણબીર કપૂરની માના રોલ માટે તૈયાર નહોતી.’

Related posts

કરીનાની ફિલ્મ વીરે ધ વેડિંગ જુનમાં રજૂ થશે

aapnugujarat

લોકડાઉન દરમિયાન અભિનેત્રીઓનું ટ્રાન્સફોર્મેશન

editor

રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1