Aapnu Gujarat
મનોરંજન

મલાઇકા અરબાજના સટ્ટા રમવાની ટેવથી હેરાન હતી

આઇપીએલ સટ્ટાબાજીના કારણે અરબાજ ખાન હાલમાં વિવાદના ઘેરામાં છે. તેની ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. અરબાજની લાંબી પુછપરછ પણ આ કેસના સંબંધમાં કરવામાં આવી ચુકી છે. તપાસમાં હવે એવી વિગત પણ સપાટી પર આવી છે કે અરબાજની સટ્ટા રમવાની કુટેવના કારણે પત્નિ મલાઇકા અરોરા ખાન પણ પરેશાન હતી. તે વારંવાર તેને ટકોર પણ કરી રહી હતી. મલાઇકા અરોરા ખાનને તેની આ પ્રવૃતિ બિલકુલ પસંદ ન હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અરબાજની ટેવના કારણે જ તેમની વચ્ચે સબંધ તુટી ગયા હતા. જો કે આ હેવાલને હજુ સુધી મલાઇકા અને અરબાજે સમર્થન આપ્યુ નથી. જો કે જુદા જુદા હેવાલ આવી રહ્યા છે. મલાઇકા અરબાજ સાથે છુટાછેડા લઇ ચુકી છે. અરબાજે હાલમાં કબુલાત કરી લીધી છે કે તે ઇન્ડિયન પ્રિમિયર લીગ સટ્ટા કોંભાડમાં સામેલ હતો. એક પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે તે છેલ્લા પાંચ છ વર્ષથી ક્રિકેટ મેચો પર સટ્ટો લગાવી રહ્યો હતો. બીજી જુનના દિવસે અરબાજ ખાન થાણે પોલીસની એઇસીની ટીમ સમક્ષ પુછપરછ માટે હાજર થયો હતો. તેની સામે એક દિવસ પહેલા સમન્સ જારી કરવામાં આવ્યા બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો.તેનુ કહેવુ છે કે ૨૭મી મેના દિવસે પૂર્ણ થયેલી આઇપીએલ-૧૧ની કોઇ મેચ પર તે સટ્ટો રમ્યો ન હતો. અહેવાલ એવા પણ આવી ચુક્યા છે કે અરબાજ ખાન સટ્ટામાં ૨.૮૦ કરોડથી વધારે નાણાં હારી ગયો છે. જાણીતા બુકી સોનુને જંગી નાણાં આપ્યા હતા. ટોપ બુકી સોનુ પણ પોલીસના સકંજામાં આવી ચુક્યો છે. સોનુની પુછપરછ દરમિયાન અરબાજનુ નામ સપાટી પર આવ્યા બાદ તેની પણ પુછપરછ કરવામાં આવી છે. એવા હેવાલ મળ્યા છે કે અરબાજની સટ્ટાની ટેવના કારણે વિતેલા વર્ષોમાં પત્નિ મલાઇકા અરોરા ખાન પરેશાન હતી. મલાઇકા સાથે તેના લગ્ન સંબંધને અસર થઇ હત. મલાઇકા અરોરા ખાને તેને સટ્ટાની ટેવ છોડી દેવા માટે કહ્યુ હતુ. પરંતુ મલાઇકા અરોરા ખાનની રજૂઆત તરફ ધ્યાન આપ્યુ ન હતુ. સુત્રોના કહેવા મુજબ તેમના સંબંધ વધારે બગડી ગયા હતા. છેલ્લે સમાધાન કરવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ આખરે વર્ષ ૨૦૧૬માં તેમની વચ્ચેના સંબંધ તુટી ગયા હતા. બન્ને વર્ષ ૨૦૧૬માં છુટા પડ્યા હતા. દંપત્તિએ એ વખતે સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યુ હતુ કે અમે કોઇ ત્રીજી વ્યક્તિના કારણે અલગ થઇ રહ્યા નથી. મલાઇકા અને બિઝનેસમેન વચ્ચેના સંબંધને લઇને મિડિયામાં હેવાલ આવ્યા બાદ બંનેએ આવા હેવાલને રદિયો આપ્યો હતો. બંનેએ એ વખતે એમ પણ કહ્યુ હતુ કે પારિવારિક વિખવાદની પણ કોઇ સ્થિતી તેમની વચ્ચે રહી નથી. તેના પતિ નાણાંકીય રીતે સ્થિર નથી તેવા મુદ્દા પર પણ છુટાછેડા થયા નથી તેવી વાત એ વખતે કરવામાં આવી હતી. હવે જાણવા મળ્યુ છે કે મલાઇકા અરોરા ખાન અરબાજના સટ્ટા રમવાની ટેવના કારણે પરેશાન થયેલી હતી.અરબાજ છેલ્લા પાંચ છ વર્ષથી સટ્ટાની ગતિવિધીમાં સામેલ રહ્યો હતો તેમ તે પોતે કહી ચુક્યો છે. હજુ તો કેટલીક નવી વિગત ખુલી શકે છે.

Related posts

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

शादी कर ली क्योंकि मुझे प्यार हो गया था : अनुष्का

aapnugujarat

આર્ટ ગેલેરીનાં કાર્યક્રમમાં મોદી સરકારની ટીકા પર અમોલ પાલેકરને રોકવામા આવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1