Aapnu Gujarat
ગુજરાત

કમલમમાં ટોપના નેતાઓની હાજરીમાં વિવિધ બેઠકો થઇ

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ ડા. અનીલજી જૈન અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે વિવિધ બેઠકો યોજાઈ હતી. સવારે પ્રદેશના મુખ્ય આગેવાનોની એક અગત્યની બેઠક યોજાઈ હતી અને પછી ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખઓ તથા જીલ્લા મહાનગરના પ્રભારીઓ સાથે બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ ડા. અનીલ જૈને ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહામંત્રીઓના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠન, વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ અને લોકસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા આ પ્રવાસ દરમ્યાન કરવામાં આવી રહી છે. દેશભરમાં રાષ્ટ્રીય મહામંત્રીઓ, સંગઠન, મહામંત્રીઓ અને પ્રમુખ આગેવાનો આ યોજના અંતર્ગત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અગાઉ સમગ્ર દેશભરમાં ૧૧૦ દિવસનો પ્રવાસ કર્યો હતો અને હવે નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંગઠનાત્મક પ્રવાસ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે પણ આજની આ બેઠક મહત્વપૂર્ણ છે તેમ જૈનૈ જણાવ્યું હતું. જૈને વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તા કાર્યસંસ્કૃતિ અને બુથ કેન્દ્રિત વ્યવસ્થાઓ એ ભાજપાની સફળતાનો આત્મા છે. બુથ કેન્દ્રિત વ્યવસ્થાએ પાર્ટીનો પ્રાણ છે અને આ જીવંત વ્યવસ્થાના આધારે ભાજપાનું સંગઠન વિશ્વમાં સૌથી મજબુત સંગઠન છે. આ પ્રવાસ દરમ્યાન મુખ્ય વ્યવસ્થાઓ જેવી કે, પાર્ટી કાર્યાલય વ્યવસ્થા, કાર્યાલયનું આધુનિકિકરણ, લાયબ્રેરી વ્યવસ્થા, સોશીયલ મીડિયા વિભાગ તેમજ મીડિયા વિભાગની વ્યવસ્થાઓ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નમો એપનું ડાઉનલોડ હજુ વધુ પ્રભાવી રીતે વધુમાં વધુ કરાવી શકાય તેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય તે માટે સંગઠન અગ્રેસર ભૂમિકા ભજવે તે માટે જૈને આહવાન કર્યું હતું. જૈને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત ભારતના જ નહી પરંતુ સમગ્ર વિશ્વના લોકપ્રિય નેતા છે, તેમની વિકાસલક્ષી કાર્યપધ્ધતિની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. સમગ્ર વિશ્વ આજે ભારત દેશને એક સન્માનની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જેટલી બેઠકો ભાજપાને મળી હતી તેના કરતા પણ વધુ બેઠકો આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપાને મળશે અને ગુજરાત ૨૬માંથી ૨૬ બેઠકો પર કમળ ખીલવીને વડાપ્રધાન મોદીને ભેટ આપશે તેવો સ્પષ્ટ વિશ્વાસ ડા. અનીલ જૈને વ્યક્ત કર્યો હતો.

Related posts

રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

aapnugujarat

પ્રચાર ખર્ચ માટે વિવિધ ચીજ વસ્તુના લઘુત્તમ ભાવો નક્કી

aapnugujarat

બલોચપુર ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ઓપનિંગ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1