ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આ વખતે પણ વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી દીધી છે. એકબાજુ વિદ્યાર્થીઓની પાસની ટકાવારી ૬૩.૭૩ ટકા રહી છે જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી ૭૨.૬૯ ટકા રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીનીઓનો દેખાવ બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી છે. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ છે. ૭૨.૬૯ ટકા વિદ્યાર્થીનિઓ પાસ થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં પાસની ટકાવારી ૬૨.૭૩ ટકા રહી છે. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા વધી ગઈ છે. આજે સવારે પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં આ વખતે ૭૯૫૫૨૮ નિયમિત વિદ્યાર્થીઓ હતા જે પૈકી ૭૯૦૨૪૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યું છે અને ૫૩૩૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. રિપીટરોની વાત કરવામાં આવે તો તેમની પાસની ટકાવારી ૧૪.૧૮ ટકા અને ખાનગી ઉમેદવાર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ૬.૯૪ ટકા રહી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોટી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.