ભાજપ પ્રમુખ અમિત શાહ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંત આવ્યા બાદ સમય કાઢીને સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અમિત શાહની સાથે તેમના પરિવારના અન્ય સભ્યો પણ પહોંચ્યા હતા. ભગવાન સોમનાથમાં દર્શન કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી. અમિત શાહની સાથે ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો પણ રહ્યા હતા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે અને ૧૫મીએ પરિણામ જાહેર થનાર છે ત્યારે કર્ણાટકમાં ભાજપના શાનદાર પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી. અમિત શાહ છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહે દાવો કર્યો હતો કે, પાર્ટી કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતિ મેળવી લેશે. પાર્ટીને ૧૩૦ જેટલી સીટો મળશે. અમિત શાહના કહેવા મુજબ ભાજપને કોઇપણ પાર્ટીના સમર્થનની જરૂર પડશે નહીં. અમિત શાહ હાલમાં મોટાભાગે કર્ણાટકમાં જ રોકાયા હતા. રેલીઓ, રોડ શો, પત્રકાર પરિષદ અને કાર્યકરો સાથે સતત વાતચીત અને વ્યૂહરચના ઘડવામાં અમિત શાહ વ્યસ્ત રહ્યા હતા. પ્રચારનો અંત આવ્યા બાદ હવે અમિત શાહે રાહત મેળવી હતી અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરમાં અમિત શાહ થોડાક સમય માટે રોકાયા પણ હતા. અમિત શાહ સોમનાથ પહોંચી રહ્યા છે તેવા સમાચાર મળતાની સાથે જ તમામ જગ્યાઓએ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી હતી. કોઇપણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. તંત્ર સંપૂર્ણપણે સાવધાન રહ્યું હતું. અમિત શાહ હાલ જોરદાર પ્રચારમાં રહ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ