મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પાટણ ખાતે આગામી ૧ મે થી શરૂ થઈ રહેલ જળ સંચય અભિયાનની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે સરકારી કર્મચારીઓ અને બિન સરકારી કર્મચારીઓ રવિવારને શ્રમ દિન તરીકે ઉજવણી કરી અભિયાનમાં જોડાય અને સમાજના આ અભિયાનમાં જોડાઈને તેને પરિણામલક્ષી બનાવે. જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર તેમ જ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ડેરી, માર્કેટયાર્ડ અને સેવા સહકારી જેવી મંડળીઓ અનુદાન આપે, જ્યારે ધારાસભ્યો, સંસદસભ્યો અને જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ આ અભિયાનમાં સહભાગી થાય. મુખ્યમંત્રીએ કલેકટરને સમયબદ્ધ આયોજન કરવા અંગે જણાવતાં તાલુકા અને ગામે ગામ એક પ્રતિનિધિની નિમણૂંક થાય તે માટેની સૂચના આપી હતી.
આગળની પોસ્ટ