Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતીયોને ફટકો : એચ-૧બી વિઝા ધારકના સાથીને વર્ક પરમિટ નહીં

અમેરિકામાં ટ્રમ્પ સરકાર એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીઓ માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે. આ દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આના પરિણામ સ્વરુપે એચ-૧બી વિઝા ધારકોની પત્નિઓને સીધી અસર થઇ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના સમયની એવી જોગવાઇને દૂર કરવાની દિશામાં છે જે હેઠળ એચ-૧બી વિઝા ધારકોના પતિ-પત્નિને વર્ક પરમિટ જારી કરવામાં આવતા હતા. એટલે કે, હવે પતિની પાસે એચ-૧બી વિઝા છે તો પત્નિને કામ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. આવી જ રીતે જો પત્નિની પાસે વિઝા છે તો પતિને વર્ક પરમિટ આપવામાં આવશે નહીં. ફેડરલ એજન્સીના એક ટોચના અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ હિલચાલના પરિણામ સ્વરુપે સીધી અસર ભારતીયો ઉપર થશે. હજારો ભારતીયો ઉપર આની માઠી અસર થવાની શક્યતા છે. બરાક ઓબામાની અવધિમાં જીવન સાથીને વર્ક પરમિટ આપવાના નિર્ણયને ખતમ કરવાથી ૭૦૦૦૦થી વધારે એચ-૧બી વિઝા ધારકોને અસર થશે. જેમની પાસે વર્ક પરમિટ છે તેમને પ્રતિકુલ અસર થશે. એચ-૪ વિઝા એચ-૧બી વિઝા ધારકના જીવન સાથીને આપવામાં આવે છે. આમાથી મોટી સંખ્યામાં ભારતીય કુશળ પ્રોફેશનલો હોય છે તેમને આ વર્ક અથવા તો વર્ક પરમિટ ઓબામા વહીવટીતંત્રના સમયગાળા દરમિયાન જારી કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ જોગવાઈનો સૌથી વધારે ફાયદો ભારતીય-અમેરિકી લોકોને થઇ રહ્યો હતો. એક લાખથી વધારે એચ-૪ વિઝા ધારકોને આ નિયમનો લાભ મળી ચુક્યો છે. ઓબામા વહીવટીતંત્રના ૨૦૧૫ના નિયમ મુજબ એચ-૧બી વિઝા ધારકોના જીવન સાથીને વર્ક પરમિટની મંજુરી આપવામાં આવતી હતી. પહેલા તેઓ કોઇપણ પ્રકારની નોકરી કરી શકતા ન હતા. આનો બીજો રસ્તો એ છે કે, એચ-૧બી વિઝા ધારક સ્થાનિક નિવાસીનો દરજ્જો હાસલ કરવો પડશે. આ પ્રક્રિયાના એક દશક અથવા તો વધારે સમય લાગે છે. આવી સ્થિતિમાં ઓબામા વહીવટીતંત્રના આ નિયમથી એવા એચ-૧બી વિઝા ધારકોને ફાયદો થયો હતો જેમની પાસે જીવન સાથી પણ અમેરિકામાં નોકરી કરાવવા માટે ઇચ્છુક હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર આ જોગવાઈને ખતમ કરવાની યોજના ધરાવે છે. આ ગરમીની સિઝનથી આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકા સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના નિર્દેશક ફ્રાન્સિસ સીસનાએ સેનેટર ચક ગ્રાસલેને પત્ર લખીને આ અંગેની માહિતી આપી દીધી છે. માઈગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યુટના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાએ એચ-૧બી વિઝા ધારકોને ૭૧ હજાર પતિ-પત્નિને વર્ક પરમિટ આપ્યા હતા. આમાથી ૯૦ ટકાથી વધારે ભારતીયો હતા. વર્ષ ૨૦૧૭ની શરૂઆત જે ભારતીયોને આ જોગવાઈ હેઠળ વર્ક પરમિટ મળ્યા હતા તેમાં ૯૪ ટકા મહિલાઓ હતી જ્યારે ૯૩ ટકા ભારતમાંથી હતી જ્યારે ચાર ટકા ચીનમાંથી હતી. અમેરિકી સરકારની આ હિલચાલ ખુબ જ મુશ્કેલરુપ સ્થિતિ ભારતીયો માટે સર્જી શકે છે. એચ-૧બી વિઝા ધારકોના પતિ અથવા પત્નિને એચ-૪ વિઝા જારી કરવામાં આવે છે. ફેડરલ એજન્સીના ટોપ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ઓબામા યુગના ગાળાની જોગવાઈને ખતમ કરવા માટે તૈયાર છે. ટૂંકમાં જ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.

વર્ક ઓથોરાઇઝેશનના રૂલ જૂનથી દૂર કરાય તેવી વકી
એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથીને વર્ક પરમિટ હવે મળી શકશે નહીં. આના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો ઉપર સીધી અસર થશે. એવી માહિતી મળી રહી છે કે, વર્ક પરમિટ સાથે સંબંધિત નિયમો જૂન અથવા તો ત્યારબાદથી દૂર કરી દેવામાં આવશે. આવર્ષે માર્ચ મહિનામાં ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ-૧બી વિઝા ધારકોના જીવનસાથી માટે કામ કરવાના અધિકારની જોગવાઈને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આને લઇને વિવાદ થતાં આમા વિલંબની સ્થિતિ થઇ હતી. જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં ભારતીય વર્કરો અને તેમના પરિવારના સભ્યોને રાહત થઇ હતી. કોર્ટ રજૂઆતમાં એ વખતે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ કહ્યું હતું કે, એચ-૪ વિઝા ધારકોના વર્ક ઓથોરાઇઝેશનને દૂર કરવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવશે નહીં. જૂન સુધી આને લઇને રાહત આપવામાં આવી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઓબામાના સમયના અનેક નિયમો હાલમાં બદલી નાંખવામાં આવી રહ્યા છે. ભારતીય આઈટી કંપનીઓને લઇને પણ ચિંતા વધી રહી છે. વિઝાના નિયમો કઠોર બનતા સમસ્યા સર્જાઈ છે.

Related posts

कर्नाटक चुनाव में ‘मठ’ और ‘वोट’ के रिश्ते को साधने की कवायद

aapnugujarat

स्टीव जॉब्स ने जादूगर की तरह एपल को डूबने से बचाया : बिल गेट्स

aapnugujarat

વર્તમાન સ્થિતિમાં RBIનો રોલ દ્રવિડ જેવો હોવો જોઇએ : રાજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1