Aapnu Gujarat
બિઝનેસ

આ વર્ષે વધારે કંપનીઓ ડિફોલ્ટ ઘોષિત થઇ શકે : રેટિંગ એજન્સી ઈક્રા

આ નવા નાણાંકીય વર્ષમાં કેટલીક અન્ય કંપનીઓ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી શકે છે. વ્યાજદરમાં વધારો થવા અને કઠોર કારોબારી સ્થિતીના કારણે આ પ્રકારની સ્થિતી સર્જાઇ શકે છે. રેટિંગ એજન્સી ઇક્રા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ઇક્રા મુજબ ૩૧મી માર્ચના દિવસે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ભારતીય કંપનીઓના ડિફોલ્ટ થવાનો દર ૩.૪ ટકાની આસપાસ રહ્યો છે. આ તે પહેલાના નાણાંકીય વર્ષમાં ૨.૬ ટકાની આસપાસ રહ્યો હતો. ઇક્રાએ કહ્યુ છે કે આડિફોલ્ટ દર આ વર્ષમાં વધારે રહી શકે છે. કારણ કે બેંકોની લોન મળવાની બાબત હવે વધારે મુશ્કેલરૂપ બની રહી છે. પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કોંભાડ બાદ બેંકો નિયમોને વધારે કઠોર બનાવી રહી છે. ડિફોલ્ટરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કારણ કે બેંકો દ્વારા પીએનબી કૌભાંડ બાદ લોન માટેની પ્રક્રિયાને વધારે જટિલ અને મુશ્કેલરુપ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં મોટી કંપનીઓ પણ મુશ્કેલીમાં છે.

Related posts

सोना स्थिर, चांदी 100 रुपए चमकी

aapnugujarat

ઈન્ડિગો-જેટની ફ્લાઈટમાં મચ્છર, કરી ફરિયાદ તો ક્રૂએ નીચે ઉતાર્યા

aapnugujarat

२१०० कंपनियों ने चुका दिए ८३००० करोड़ रुपये के बैंक लोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1