ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટલે પણ ઉપસ્થિત રહીને ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને અભિનંદન આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના વક્તવ્યમાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મોટાભાગે તમામ ગામડાઓમાં ભાજપના શુભેચ્છક, સમર્થક કે કાર્યકરો સરપંચ અને સભ્યો તરીકે ચૂંટાયા છે જે દર્શાવે છે કે, ગ્રામીણ પ્રજાને ભાજપની વિકાસલક્ષી નીતિઓમાં સંપૂર્ણ ભરોસો છે. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે જ્યાં સુધી ગામડાઓનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી ભાજપ સરકાર ગ્રામીણ વિકાસલક્ષી કાર્યો અવિરત ચાલુ રાખશે.