અમદાવાદ શહેરનો રાયપુર વિસ્તાર તેની પોળોનાં કારણે સમગ્ર વિશ્વભરમાં પ્રચલિત છે. અહીં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચઢાવવા માટે આવી ચૂક્યા છે તો આ ગત ઉત્તરાયણે મુખ્યંત્રી વિજય રૂપાણીએ પણ રાયપુરમાં પતંગ ચઢાવવાની મજા માણી હતી. રાયપુર વિસ્તાર ઉત્સાહ અને ધાર્મિક પ્રસંગો માટે પણ જાણીતો છે. હજુ થોડાં દિવસો પહેલાં નાનશા જીવણની પોળમાં બહુચર માતાનાં ‘આનંદનાં ગરબા’નો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી અંબિકા આનંદ ગરબા મંડળ દ્વારા ૧૨ કલાકની ધૂનનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાનું નામ લીધું. આનંદનાં ગરબામાં ૧૦૦૧ લાડુ સહિતનો અન્નકુટ માતાજીને અર્પણ કરાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નૈનાબેન મોદી અને મધુબેન બ્રહ્મભટ્ટ દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અંબિકા આનંદ ગરબા મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.