Aapnu Gujarat
મનોરંજન

શાહિદની પદ્માવત ફિલ્મમાં દમદાર ભૂમિકા જોવા મળશે

કેટલીક શાનદાર ભૂમિકા કરી હોવા છતાં શાહીદ કપૂરને બોક્સ ઓફિસ ઉપર સફળતા મળી રહી નથી. છતાં તે વધુને વધુ ફિલ્મો કરી બોલિવુડમાં ટકી રહેવા માટે સજ્જ છે. શાહિદ હવે સંજય લીલા ભણશાળીની ચર્ચાસ્પદ ફિલ્મ પદ્માવતને લઇને આશાવાદી છે. આ ફિલ્મ તેની કેરિયરમાં તેજી લાવી શકે છે. ભારે વિવાદ અને તોડફોડ બાદ આખરે આ ફિલ્મને રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. શાહિદ કપુરની કેરિયરમાં આ ફિલ્મ નવા પ્રાણ ફુંકી શકે છે. તે ફિલ્મમાં સાહસી રાજપુત રાજા રાણા રતનસિંહના રોલમાં નજરે પડનાર છે. શાહિદને તમામ નિર્માતા અને નિર્દેશક એક કુશળ અભિનેતા તરીકે ગણે છે. આ જ કરાણસર તેની પાસે મોટા બેનરની ફિલ્મો આવી રહી છે પરંત કમનસીબે તેને સફળતા મળી રહી નથી. જો કે તે હજુ મોટી ફિલ્મોને લઇને આશાવાદી છે. તેની હવે પદ્માવતિ ફિલ્મ રજૂ થનાર છે. જો કે આ ફિલ્મ હાલના પ્રવાહને જોતા સફળ થાય તેવી શક્યતા દેખાઇ રહી નથી. કારણ કે ફિલ્મને લઇને જોરદાર વિરોધ થઇ રહ્યો છે. શાહીદ કપૂરનું કહેવું છે કે કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સુપર હિટ થયા બાદ જ કલાકારને સફળ તરીકે ગણવામાં આવે છે. કોઈ ફિલ્મના બોક્સ ઓફિસ ઉપર પરિણામને જ માપદંડ તરીકે જોવામાં આવે છે. એક મોટી હિટ માટે સંઘર્ષ કરી રહેલા શાહીદે ૧૦ વર્ષની પોતાની કેરિયરમાં ૩૦થી વધુ ફિલ્મોમાં ભૂમિકા કરી છે જેમાંથી ત્રણ ફિલ્મો હિટ રહી છે જેમાં ઇશ્ક વિશ્ક (૨૦૦૩), વિવાહ (૨૦૦૬) અને જબ ભી મેટ (૨૦૦૭)નો સમાવેશ થાય છે. શાહીદ કપૂરની પ્રભુ દેવા સાથેની ફિલ્મ રાજકુમારને બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મળી હતી પરંતુ આ ફિલ્મના કારણે પણ તેને મોટો ફાયદો થયો ન હતો. કારણ કે તેની નોંધ લેવાઇ નથી.

Related posts

સોનાક્ષી આઇટમ સોંગ કરવા તૈયાર

aapnugujarat

સેક્સી દિશા પટણી બાગી-૨ ફિલ્મમાં ટાઇગર સાથે દેખાશે

aapnugujarat

બોલિવુડમાં ચંકી પાન્ડેની પુત્રી અનન્યાની ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1