Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી યુદ્ધની જેમ છે અને અમે પાંડવ છીએ : સિદ્ધારમૈયાના પ્રહાર

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા શાસક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ છેડાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાબ્દિક પ્રહાર કર્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફરી એકવાર ભાજપ ઉપર વળતા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પાંડવની જેમ છે અને ભાજપ કૌરવોની જેમ છે. પાંડવની આમા જીત થશે. બેંગ્લોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કોઇપણ ચૂંટણી યુદ્ધની જેમ હોય છે. અમે પાંડવ છીએ. અમે યોગ્ય રસ્તા પર આગળ વધી રહ્યા છે. ભાજપના લોકો કૌરવોની જેમ છે જે ખોટા રસ્તાઓ ઉપર જઇ રહ્યા છે. ભાજપ, સંઘ અને બજરંગ દળમાં આતંકવાદી તત્વો રહેલા છે તેવા સિદ્ધારમૈયાના અગાઉના નિવેદનથી હોબાળો મચી ગયો હતો અને ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. ભાજપ આ મુદ્દાને ચગાવવા ઇચ્છુક છે.

Related posts

જમ્મુમાં તંગ સ્થિત વચ્ચે સંચારબંધી જારી

aapnugujarat

નિરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ફગાવી

aapnugujarat

ગીતા વાંચવા પર મુસ્લિમ છોકરી આલિયા વિરૂદ્ધ ફતવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1