Aapnu Gujarat
ગુજરાત

દલિત વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસના કેસમાં હવે બી.જે.મેડિકલ કોલેજનાં નવ ડોકટરો દ્વારા હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન

શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ગઇકાલે થર્ડ એમબીબીએસના સર્જરી વિભાગના એક દલિત વિદ્યાર્થીએ સ્થાનિક ડોકટરોના ત્રાસથી કંટાળી તાજેતરમાં ઉઁઘની ગોળીઓ ખાઇ આત્મહત્યા કરવાના કરેલા પ્રયાસના ચકચારભર્યા પ્રકરણમાં જેઓની વિરૂધ્ધ શાહીબાગ પોલીસમથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, તે નવ ડોકટરો તરફથી આજે ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરી હતી. બી.જે.મેડિકલ કોલેજના અરજદાર ડોકટરો દ્વારા પિટિશનમાં તેમની વિરૂધ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા દાદ માંગી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકારને નોટિસ જારી કરી અરજદાર ડોકટરો વિરૂધ્ધની ફરિયાદની આગળની તપાસ સામે વચગાળાનો મનાઇહુકમ ફરમાવી દીધો છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. ઉલ્લેખનીય છે કે, બી.જે.મેડિકલ કોલેજમાં થર્ડ એમબીબીએસમાં અભ્યાસ કરતાં મૂળ તામિલનાડુના વતની એવા મરીરાજ નામના યુવકે ચાર-પાંચ દિવસ પહેલાં કોલેજેની હોસ્ટેલના રૂમ નં-૩૦૬માં ઝેરી દવાની ગોળીઓ વધુ પ્રમાણમાં ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મરીરાજને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતાં શાહીબાગ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીડિત યુવક મરીરાજને હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબી શાખાના વિદ્યાર્થીઓ દ્વારા અપમાનજનક વ્યવહાર અને વર્તન કરવામાં આવતા હતા અને તેને ત્રાસ અપાતો હતો. મરીરાજે કોલેજના ઉપરી અધિકારીઓ અને સંબંધિત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી હોવાછતાં કોઇ પગલાં નહી લેવાતાં કંટાળીને તેણે છેવટે આ પગલું ભર્યું હતું. આ પ્રકરણમાં દલિત વિદ્યાર્થી દ્વારા બી.જે.મેડિકલ કોલેજના ડો. ઉત્કર્ષ શાહ, નીલ પટેલ, બીના એમ. શાહ, પંકજ મોદી, પાર્થ દલાલ, ગુણવંત રાઠોડ, જયેશ પરીખ, પ્રશાંત મહેતા અને વિક્રમ મહેતા વિરૂધ્ધ જાતિવાચક તેમ જ અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બદલનો એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ રદબાતલ ઠરાવવા ઉપરોકત નવ ડોકટરો તરફથી હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણીમાં આજે હાઇકોર્ટે તેઓને ઉપરમુજબ રાહત આપી હતી.

Related posts

પ્રિયંકા ૨૮મીએ ગાંધીનગરમાં પ્રથમ જ ચૂંટણી સભા ગજવશે

aapnugujarat

કાર્યકરો સાથેનો વ્યવહાર, કામ કરવાની શૈલીથી પાર્ટી તેમને જવાબદારી સોંપતી હોય છે: પ્રદિપસિંહ વાઘેલા

aapnugujarat

वेजलपुर की लापता हुई किशोरी आखिर में राजस्थान से मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1