ભણસાલીની ફિલ્મ સતત વિવાદોનો સામનો કરી રહી છે. અને હવે તો આ વિવાદ ત્યાં સુધી વર્ક્યો છે કે ભણસાલીનું માથુ કાપી લાવનારને ૫ કરોડના ઇનામની જાહેરાત રાજપૂત નેતા દ્વારા કરવામાં આવી છે.
સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રાજસ્થાન અને ગુજરાત બાદ આ ફિલ્મનો વિવાદ યુપી સુધી પહોચ્યો છે.
મેરઠના એક રાજપૂત નેતાએ ભણસાળી સામે ફરમાન જાહેર કરતા કહ્યુ છે કે જે વ્યક્તિ સંજય લીલા ભણસાળીનું માથુ કાપીને લાવશે તેને ૫ કરોડનું ઇનામ અપાશે.
આ સિવાય યુપી સરકારે પણ નગર નિગમની ચૂંટણીઓને જોતા કહ્યું છે કે, આ ફિલ્મની રિલીઝને કારણે અશાંતિ ફેલાઈ શકે છે. જેના કારણે યોગી સરકારે યુપીમાં ૧લી ડિસેમ્બરે ફિલ્મની રિલીઝને રોકવાની માંગ કરી છે. શ્રી રાજપૂત કરણી સેનાના લોકેન્દ્ર સિંહે કહ્યુ છે કે જો ૧લી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે તો રાજપૂત સંગઠન ભારત બંધનુ એલાન કરશે અને ઠેર ઠેર રેલી અને વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.