ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન આરકોમ ૧ ડિસેમ્બરે પોતાની વૉઇસ કૉલ સર્વિસ બંધ કરવા જઈ રહીછે. આરકોમના ગ્રાહક આ વર્ષે અંતિમ મહિના સુધીમાં પોતાની સર્વિસ બંધ કરવા જઈ રહી છે. ડિસેમ્બર ૩૧ ૨૦૧૭ સુધીમાં પોતાના નંબર બીજા નેટવર્કમાં પોર્ટ કરાવી શકો છો. ટેલિકોમ સેક્ટરના નિયમ બનાવનારી સંસ્થા ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑપ ઇન્ડિયાએ આ જાણકારી આપી હતી.
ટ્રાઇએ બધા ટેલિકોમ ઓપરેટર્સે જાહેર કરેલા એક નિર્દેશમાં જણાવ્યું હતું કે ૩૧ ઓક્ટોબરે આરકોમે જાણકારી આપી હતી કે રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ આરસીએલ પોતાના ગ્રાહકોને ફક્ત ૪જી સર્વિસ ઉપલબ્ધ કરાવશે. પરિણામે ૧ ડિસેમ્બર ૨૦૧૭થી સબસ્ક્રાઇબર્સને વોઇસ સર્વિસ નહીં મળે.આરકોમે ટ્રાઇને જાણકારી આપી હતી કે આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પૂર્વ ઉત્તર પ્રદશે. તામિલનાડુ, કર્ણાટક અને કેરલ વગેરે આઠ સ્થળે ૨જી તથા ૪જી સર્વિસ આપે છે. કંપનીએ ટ્રાઇન જણાવ્યું કે કંપની સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસિઝના સીડીએમએ નેટવર્કને અપર્ગેડ કરે જેમાં તેનો વિલય થઈ શકે.
આગળની પોસ્ટ