પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપાર અને આર્થિક સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા વેપાર સમજૂતી માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. ૪ થી ૬ ઓક્ટોબર, ૨૦૧૭ સુધી ભારતનાં રાષ્ટ્રપતિ ઇથિયોપિયાની મુલાકાતે ગયા એ દરમિયાન ૫ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ વેપારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં.વેપારી સમજૂતી ૧૯૮૨માં થયેલી હાલની વેપારી સમજૂતીનું સ્થાન લેશે. આ વેપારી સમજૂતી વેપાર, આર્થિક સહકાર, રોકાણ અને ટેકનિકલ સહકારને પ્રોત્સાહન આપવા જરૂરી તમામ પગલાં માટે સુવિધા પ્રદાન કરશે.
આગળની પોસ્ટ