જુનાગઢ કૃષિ યુનિ. સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-અમરેલી ખાતે ટેકનોલોજી વીકની ઉજવણી કરવામાં આવી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. પી.આર. કાનાણીએ ખેડૂતોને આધુનિક ખેતી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જુદાં-જુદાં ગામના ખેડૂત ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જુદી-જુદી ખેતીને લગતી ટેકનોલોજીની માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. આ તકે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી ડૉ. એચ.સી. છોડવડીયાએ કર્યુ હતુ અને આભારવિધી કુ.પી.એસ.જયસ્વાલે કરી હતી, તેમ ડૉ.એન.એસ. જોષીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.