હિન્દી સિનેમાના ક્ષેત્રમાં કપુર ખાનદાનના વારસાને જાળવી રાખવાના પ્રયાસો હવે ફરી એકવાર શરૂ થયા છે. હાલમાં આગના કારણે સંપત્તિને ભારે નુકસાન થયુ હતુ. હવે આરકે સ્ટુડિયોને નવેસરથી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આરકે સ્ટુડિયોના અસ્તિત્વને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે ત્યારે હવે જાણવા મળ્યુ છે કે આર કે સ્ટુડિયોને હવે નવેસરથી નવી સુવિધા સાથે નિર્માણ કરવામાં આવનાર છે. કપુર પરિવારે આના માટે કમર કસી લીધી છે. કપુર પરિવારના સભ્ય અને લોકપ્રિય અભિનેતા રિશિ કપુરે સાફ શબ્દોમાં કહ્યુ છે કે આરકે સ્ટુડિયોને ફરી એકવાર બનાવવામાં આવનાર છે. પહેલા કરતા પણ વધારે સુવિધા સાથે આને બનાવવામાં આવનાર છે. રિશી કપુરે કહ્યુ છે કે સ્ટુડિયોમાં તમામ આધુનિક સુવિધા રાખવામાં આવનાર છે. સ્ટેટ ઓફ આર્ટ સુવિધા સાથે તે સજ્જ રહેશે. અત્રે નોંધનીય છે કે ૧૬મી સપ્ટેમ્બરના દિવસે સ્ટુડિયોમાં વિનાશકારી આગ ફાટી નિકળી હતી. જેના કારણે સ્ટુડિયોને ભારે નુકસાન થયુ હતુ. રાજકુપરે ફિલ્મ મેરા નામ જોકર બનાવી હતી. અને જે માસ્ક પહેર્યા હતા તે તમામ માસ્ક અને ડ્રેસ પણ ખરાબ થઇ ગયા હતા. હવે રિશિ કપુરે ટ્વીટ કરીને કહ્યુ છે કે ૧૬મી સપ્ટેમ્બરના દિવસે આગ લાગ્યા બાદ બનાવને લઇને ચર્ચા રહી હતી. સુપર ડાન્સર સિઝન-૨ના સેટ પર આગ લાગી જતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. આમાં શો મેન રાજકપુરની અનેક યાદો પણ હતી. રિશી કપુર દ્વારા કેટલાક નવા ખુલાસા થયા બાદ બોલિવુડમાં હવે નવી આશા જાગી છે. આરકે સ્ટુડિયોને નવેસરથી નિર્માણ કરવાની વાત થયા બાદ હવે ટુંક સમયમાં જ કામગીરી શરૂ કરાશે.
પાછલી પોસ્ટ