Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીયો ધડાધડ કેન્સલ કરવા લાગ્યા છે માલદિવના બુકિંગ

સપ્તાહની શરુઆતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકીમાંથી એક લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા હતા. બે દિવસ અને એક રાત્રીના રોકાણના પ્રવાસ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વિકાસની ૧૧૫૫ કરોડ રુપિયાની ભેટ લક્ષદ્વીપના ટાપુઓને આપી હતી. સાથે જ આ વિસ્તારના પ્રવાસન વિકાસ માટે તેઓએ ભારતીયોઓને વિદેશમાં રજાઓ ગાળવાને બદલે લક્ષદ્વીપની એકવાર મુલાકાત લેવા અપીલ કરી હતી.
વડાપ્રધાનની અપીલ સાથે જ લક્ષદ્વીપની તસ્વીરો એક બાદ એક સોશિયલ મીડિયા પર શેર થવા લાગી હતી. લક્ષદ્વીપની સુંદરતાને જોવા અને જાણવા માટે ગુગલ પર લક્ષદ્વીપ શબ્દ ખૂબ જ સર્ચ થવા લાગ્યો હતો. માલદીવ્સના સત્તાધારી પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈ મજાક ઉડાવતા અપશબ્દ ઉચ્ચાર્યા હતા. ભારતીયો માટે અપશબ્દ અને માલદિવ્સની સત્તાધારી પાર્ટીના સભ્યો દ્વારા ભારત સાથે દુર્વ્યવહાર બાદ હવે તેની પ્રતિક્રિયા ભારતીય પ્રવાસીઓ આપવા લાગ્યા છે. આ એ જ જાહિદ છે, જેણે અગાઉ ભારતીય નાગરિકતા માંગી હતી. ભારતીય પ્રવાસીઓ ધડાધડ માલદિવ્સ પ્રવાસના બુકિંગને કેન્સલ કરાવી રહ્યા છે. ભારતીયોએ બુકિંગ કરાવેલ હોટલ અને પ્રવાસ કાર્યક્રમને રદ કરાવવા લાગ્યા છે. પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ અને ભારતીયોને ભારતીય ટાપુઓ અને દરિયાઈ કિનારાઓની મોજ માણવા માટેની અપીલ સાથે જ હવે માલદીવ સંપૂર્ણ રીતે બોખલાઈ ચૂક્યુ છે.
સોશિયલ મીડિયા પર પણ બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ કરવા લાગ્યુ છે અને લક્ષદ્વીપની તસ્વીરો ખૂબ જ શેર થવા લાગી છે. માલદિવ્સના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ ચીન સમર્થક છે અને ભારત સાથેના સંબંધોમાં તેઓના વ્યવહારથી તણાવ સર્જાયો છે. ભારતમાંથી ગત વર્ષે ૨.૫ લાખ પ્રવાસીઓએ માલદીવ્સનો પ્રવાસ માણ્યો હતો. વર્ષે દહાડે ૨૫૦૦ કરોડની આવક માલદિવ્સને ભારતીય પ્રવાસીઓ થકી થઈ રહી હોવાનો અંદાજ છે. આમ હવે ભારતીય પ્રવાસીઓ નારાજગી એશિયાના સૌથી ટચૂકડા દેશ માલદિવ્સને મોટા ફટકા રુપ છે.
પીએમ મોદીએ લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન કહ્યુ હતુ કે, જે લોકો રોમાંચકારી અનુભવ લેવા ઈચ્છે છે, લક્ષદ્વીપ તેમની યાદીમાં જરુર હોવુ જોઈએ. પીએમ મોદીએ ભારતીય પ્રવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી. લક્ષદ્વીપના પર્યટનક્ષેત્રનો વિકાસ કરવાનું સફળ અભિયાન એક ગુજરાતીએ હાથ ધર્યુ છે. લક્ષદ્વીપના પ્રશાસક તરીકે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રફુલ પટેલ પદ સંભાળે છે. જેઓ સાબરકાંઠાના હિંમતનગરના છે.

Related posts

સંજય દત્તની વહેલી જેલમુક્તિ વાજબી હોવાનું બે અઠવાડિયામાં સાબિત કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ

aapnugujarat

યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં લગાવ્યો એસ્મા

editor

૩ કરોડ મેળવવા પત્નીએ કરી પતિની હત્યા

editor
UA-96247877-1