Aapnu Gujarat
શિક્ષણ

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

હાયર એજ્યુકેશન માટે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ અંગ્રેજીની ક્ષમતા પૂરવાર કરવા માટે IELTS આપતા હોય છે. જોકે, ઘણા સ્ટુડન્ટને IELTSમાં નબળો સ્કોર મળે છે જેના કારણે તેઓ નિરાશ થઈ જાય છે. પરંતુ હવે તેનો રસ્તો મળી ગયો છે. IELTSમાં ઓછો સ્કોર આવે તો તમે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકશો. તેમાં તમારી કોઈ એક સ્કીલને રિટેક કરવામાં આવશે. તમારે આખી ટેસ્ટ ફરીથી આપવાની જરૂર નથી.

સમગ્ર ભારતમાં IELTS કમ્પ્યુટર ડિલિવર્ડ ટેસ્ટ સેન્ટર પર હવે ‘IELTS વન સ્કીલ રિટેક’નો વિકલ્પ મળશે. તેમાં તમારી ચાર આવશ્યક સ્કીલ- લિસનિંગ, રિડિંગ, રાઈટિંગ અથવા સ્પીકિંગ-માંથી કોઈ એકની ટેસ્ટ ફરીથી આપી શકાશે. તમને એવું લાગે કે અગાઉ આપેલી ટેસ્ટમાં તમે સારો દેખાવ નથી કર્યો તો તમે કોઈ પણ સ્કીલ માટે ફરીથી ટેસ્ટ આપી શકશો. આ ઓપ્શન માત્ર એવા સ્ટુડન્ટ માટે છે જેમણે કમ્પ્યુટર ડિલિવર્ડ IELTS ટેસ્ટનો વિકલ્પ પસંદ કર્યો છે.મહત્ત્વની વાત એ છે કે તમે વન સ્કીલ રિટેક આપો ત્યાર પછી તમને નવો ટેસ્ટ રિપોર્ટ ફોર્મ (TRF) મળશે જેમાં તમારો નવો સ્કોર જોઈ શકાશે. માઈગ્રેશન કરવા માટે અથવા વિદેશમાં ભણવા માટે અરજી કરતી વખતે TRFનો ઉપયોગ કરી શકાય છે. તમારા સ્કોરના આધારે તમે નક્કી કરી શકો છો કે તમારે જૂના TRFનો ઉપયોગ કરવો છે કે નવો TRF ઉપયોગમાં લેવો છે.’IELTS વન સ્કીલ રિટેક’ ખરા અર્થમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે કારણ કે તેને ઓસ્ટ્રેલિયન હોમ અફેર ડિપાર્ટમેન્ટ, ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર એજન્સી અને બીજી ઘણી સંસથ્થાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે.
‘IELTS વન સ્કીલ રિટેક’ એ એકેડેમિક અને જનરલ IELTS બંને માટે ઉપલબ્ધ છે. તેમાં ભારતમાં ટેસ્ટ આપનારાઓને એક વિકલ્પ મળે છે જેના કારણે તેઓ પોતાના પ્લાન મુજબ સ્કોર સુધારી શકે છે. અત્યારે ભારતમાં તમામ 47 IELTS કમ્પ્યુટર સેન્ટર પર આ સગવડ ઉપલબ્ધ છે.
એક્સપર્ટ કહે છે કે કોઈ પણ એક સ્કીલમાં રિટેકની સગવડ આપવી એ બહુ સારો નિર્ણય છે કારણ કે IELTSમાં નબળો સ્કોર આવે ત્યારે આખેઆખી પરીક્ષા ફરીથી આપવી યોગ્ય નથી. તેના બદલે જે સ્કીલમાં ઓછો સ્કોર આવ્યો હોય તેના પર જ કામ કરવામાં આવે તે વધુ જરૂરી છે.
મોટા ભાગના યુરોપિયન દેશો, અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન માટે જવું હોય ત્યારે અંગ્રેજીની આવડત પૂરવાર કરવા માટે IELTSનો સ્કોર ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી આ ટેસ્ટમાં સારા ગુણ મળે તે જરૂરી છે.

Related posts

શ્રી ગોવિંદગુરૂ યુનિ.માં સેમેસ્ટર – ૬ની પરીક્ષાનો પ્રારંભ

editor

અમદાવાદની સરકારી સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી

editor

બાળકોના વિકાસ માટે શાળાઓ ખોલવી પણ આવશ્યક છે : ગુલેરિયા

editor
UA-96247877-1