Aapnu Gujarat
બિઝનેસ

UPI ATM લોન્ચ થયું : હવે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી સુરક્ષિત રીતે રૂપિયા ઉપાડો

ભારતમાં ડિજિટલ પેમેન્ટ હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે અને ધીમે ધીમે દેશ તેનાથી પણ આગળ વધી રહ્યો છે. ભારતમાં હવે UPI ATM લોન્ચ થઈ ગયું છે. એટલે કે તમારે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર નથી. તમે યુપીઆઈનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી શકશો. જાપાનની હિટાચી પેમેન્ટ સર્વિસિસ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ સાથે મળીને વ્હાઈટ લેબલ એટીએમની શરૂઆત કરી છે. તેની મદદથી ગ્રાહકો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે.

હિટાચી પેમેન્ટ સર્વિસિસના અધિકારીએ જણાવ્યું કે UPI ATM ઉપયોગમાં સરળ અને સુરક્ષિત છે. તમે હિટાચી મની સ્પોટ UPI-ATMનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી શકો છો.

UPI-ATMથી રૂપિયા કઈ રીતે ઉપાડવા?

1. સૌથી પહેલા તમારે એટીએમમાંથી જે રકમ ઉપાડવી હોય તે સિલેક્ટ કરો.
2. ત્યાર પછી એટીએમના ડિસ્પ્લે પર એક QR કોડ આવશે જેમાં તે રકમ દર્શાવાશે.
3. તમારે તમારા મોબાઈલ પરના યુપીઆઈ એપનો ઉપયોગ કરીને તે QR કોડ સ્કેન કરવાનો રહેશે.
4. ત્યાર પછી ટ્રાન્ઝેક્શનને ઓથોરાઈઝ કરવા માટે UPI PIN એન્ટર કરવાનો રહેશે.
5. એક વખત તે ઓથોરાઈઝ થઈ જાય ત્યાર બાદ એટીએમમાંથી તમે નાણાં ઉપાડી શકશો.

જોકે, આ સુવિધા અત્યારે તમામ એટીએમ મશીન પર નહીં મળે. આ ફેસિલિટી આપવા માટે જે તે બેન્ક યુપીઆઈ પર લાઈવ હોવી જરૂરી છે. એટીએમમાં UPI-ATM ઈન્ટરઓપરેબલ કાર્ડ લેસ વિડ્રોઅલ ફેસિલિટી હોવી જોઈએ.

હાલમાં કેટલીક બેન્કો કાર્ડલેસ કેશ વિડ્રોઅલની સુવિધા આપે છે. UPI-ATMમાં પણ આવી જ સગવડ મળે છે. કાર્ડલેસ કેશ વિડ્રોઅલ મોબાઈલ ફોન અને ઓટીપી પર આધારિત હોય છે જ્યારે UPI-ATMમાં ક્યુઆર કોડ દ્વારા ઉપાડ થાય છે.

UPI-ATMનો ઉપયોગ કોણ કરી શકે?
યુપીઆઈ એપ્લિકેશન પર રજિસ્ટર્ડ હોય તેવી કોઈ પણ વ્યક્તિ UPI-ATMનો ઉપયોગ કરી શકે છે. જે તે કસ્ટમરના મોબાઈલ પર આ એપ હોવી જરૂરી છે. આ ઉપરાંત પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે જેમણે સર્ટિફિકેશન મેળવ્યું હોય અને ઈન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ ફંક્શન માટે તૈયાર હોય.

UPI-ATMથી શું ફાયદો થશે?
એક્સપર્ટના કહેવા પ્રમાણે UPI-ATMથી કાર્ડના સ્કિમિંગનું જોખમ નહીં રહે. ઘણી જગ્યાએ છેતરપિંડી કરનારાઓ દ્વારા કાર્ડનું સ્કિમિંગ કરીને ડેટા ચોરી લેવામાં આવતો હતો અથવા ડુપ્લિકેટ કાર્ડ બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત જે એરિયામાં પરંપરાગત બેન્કિંગ સ્ટ્રક્ચર નથી ત્યાં પણ તેની સગવડ પહોંચાડી શકાશે.

Related posts

ટોચની ૮ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

૨૦૨૨ સુધી ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા બમણી થશે

aapnugujarat

अब भारत चाहता हैं ब्रिक्स की अपनी रेटिंग एजेन्सी

aapnugujarat
UA-96247877-1