તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે ચેન્નઈમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી નક્કી કરશે કે દેશમાં લોકશાહી રહેશે કે નહીં. તમિલનાડુના સીએમએ કહ્યું કે લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. સ્ટાલિન તેમના પિતા અને પાંચ વખતના મુખ્યમંત્રી એમ કરુણાનિધિની પાંચમી પુણ્યતિથિ પર સંબોધન કરી રહ્યા હતા.
સ્ટાલિને કહ્યું કે આ એવી ચૂંટણી નથી જે પાંચ વર્ષમાં એકવાર આવે છે, આ ચૂંટણી એ નક્કી કરવાનું છે કે ભારતમાં લોકશાહી રહેશે કે નહીં? કરુણાનિધિ હંમેશા કહેતા હતા કે આપણે તમિલનાડુમાંથી ભારત માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને હવે અમે તેમના શબ્દોને અનુસરી રહ્યા છીએ. સ્ટાલિને કહ્યું કે ડીએમકે એક પ્રાદેશિક પક્ષ છે અને હવે કરુણાનિધિના સ્વપ્નને સાકાર કરવાનો સમય આવી ગયો છે કે ડીએમકેએ હંમેશા એવા પક્ષ તરીકે કામ કરવું જોઈએ જે સુનિશ્ચિત કરે છે કે રાજ્યોને તેમના યોગ્ય અધિકારો મળે.
સ્ટાલિન અને પાર્ટીના જનરલ સેક્રેટરી દુરાઈ મુરુગન, સાંસદ ટીઆર બાલુ અને કનિમોઝી કરુણાનિધિ સહિત તેમના વરિષ્ઠ સહયોગીઓએ મરિના બીચ ખાતે કરુણાનિધિની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે બે કિમીની મૌન યાત્રનું નેતૃત્વ કર્યું હતું.
આ પહેલા પણ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ભાજપ ફરી એકવાર સત્તા પર કબજો કરશે તો લોકશાહી, સામાજિક ન્યાય અને બંધારણને કોઈ બચાવી શકશે નહીં.