Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં સર્ગભા મહિલાનું હાર્ટએટેકથી નિધન થયું

રાજ્યમાં છેલ્લા થોડા મહિનાથી હાર્ટએટેકથી નિધનની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો છે. આવી જ વધુ એક ઘટના ડાયમંડ નગરી સુરતમાં બની છે. શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં સગર્ભા મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. ૩૬ વર્ષીય મહિલાને ૩ મહિનાનો ગર્ભ હતો. મહિલા સવારે વોશ ગયા બાદ અચાનક જ ગભરામણ થવા લાગી હતી. જેથી તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ગર્ભવતી મહિલાના નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. થોડા દિવસ પહેલા સુરતના જુદા જુદા વિસ્તારમાં ૧ મહિલા, ૫ પુરુષ સહિત ૬ લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં ૬ ના મોત ચકચાર મચી ગઈ હતી. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં ૨૪ કલાકમાં ૬ લોકોનાં મોત થયા હતા. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને ૬ લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા, જેમાં એક મહિલા અને પાંચ પુરુષ હતા. સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના ૪૩ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ હતું. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા ૩૪ વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો ૨૭ વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બુધવારે રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.

Related posts

વટવા પોલીસના કોન્સ્ટેબલનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

aapnugujarat

કરાલી ગામમાં પાંચ મકાનો બળીને ખાખ

editor

સોલર એનર્જી ઉત્પાદન માટે સરકાર રૂ. ૧નાં ટોકન દરે ભાડે જમીન આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1