ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ નેપાળમાં છુપાયો હોવાની આશંકા છે. આ આશંકાની વચ્ચે સોમવારે ભારત સરકારે નેપાળ સરકારને અનુરોધ કર્યો છે કે ભાગેડુ અમૃતપાલ સિંહને કોઈ ત્રીજા દેશમાં ભાગી ન જવા દેવાય.
આ સિવાય ભારત સરકારે એવી પણ વિનંતી કરી છે કે જો તે ભારતીય પાસપોર્ટ કે અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ત્રીજા દેશમાં ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે. શનિવારે કોન્સ્યુલર સેવા વિભાગને મોકલવામાં આવેલા પત્રમાં, કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે સરકારી એજન્સીઓને વિનંતી કરી હતી કે જો અમૃતપાલ સિંહ નેપાળમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરે. મળતી માહિતી મુજબ અમૃતપાલ નેપાળમાં છુપાયેલો છે.
કાઠમંડુ પોસ્ટ અખબારે અહેવાલ આપ્યો છે કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે શનિવારે કોન્સ્યુલર સેવા વિભાગને એક પત્ર મોકલીને સરકારી એજન્સીઓને વિનંતી કરી હતી કે અમૃતપાલ સિંહ નેપાળમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરે. મળતી માહિતી મુજબ અમૃતપાલ નેપાળમાં છુપાયેલો છે.
ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને મોકલવામાં આવેલ પત્રમાં લખવામાં આવ્યું છે કે, “આદરણીય મંત્રાલયને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઈમિગ્રેશન વિભાગને જણાવે કે અમૃતપાલ સિંહને નેપાળ થઈને કોઈપણ ત્રીજા દેશમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
તે જ સમયે, જો તે ભારતીય પાસપોર્ટ અથવા અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને નેપાળથી ભાગવાનો પ્રયાસ કરે છે, તો તેની ધરપકડ થવી જોઈએ.
મળતી માહિતી મુજબ, અમૃતપાલ સિંહની અંગત વિગતો નેપાળની હોટલથી લઈને એરલાઈન્સ સુધીની તમામ સંબંધિત એજન્સીઓને મોકલી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પાસે અલગ અલગ ઓળખ સાથે બહુવિધ પાસપોર્ટ હોવાના અહેવાલ છે. તે ૧૮ માર્ચથી દેશમાંથી ફરાર છે. જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના શાર્પ શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ વરિન્દર સિંહ જોહલ તરીકે કરી છે. અજનાળાની ઘટના સંદર્ભે આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વરિન્દર સિંહ વિરુદ્ધ એનએસએ લગાવીને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.ખાલિસ્તાની સમર્થકને ઝડપી લેવા ભારતના હવાતિયા
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ નેપાળમાં છુપાયો હોવાની આશંકા છે. આ આશંકાની વચ્ચે સોમવારે ભારત સરકારે નેપાળ સરકારને અનુરોધ કર્યો છે કે ભાગેડુ અમૃતપાલ સિંહને કોઈ ત્રીજા દેશમાં ભાગી ન જવા દેવાય.
આ સિવાય ભારત સરકારે એવી પણ વિનંતી કરી છે કે જો તે ભારતીય પાસપોર્ટ કે અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ત્રીજા દેશમાં ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવામાં આવે. શનિવારે કોન્સ્યુલર સેવા વિભાગને મોકલવામાં આવેલા પત્રમાં, કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે સરકારી એજન્સીઓને વિનંતી કરી હતી કે જો અમૃતપાલ સિંહ નેપાળમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરે. મળતી માહિતી મુજબ અમૃતપાલ નેપાળમાં છુપાયેલો છે.
કાઠમંડુ પોસ્ટ અખબારે અહેવાલ આપ્યો છે કે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે શનિવારે કોન્સ્યુલર સેવા વિભાગને એક પત્ર મોકલીને સરકારી એજન્સીઓને વિનંતી કરી હતી કે અમૃતપાલ સિંહ નેપાળમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરે. મળતી માહિતી મુજબ અમૃતપાલ નેપાળમાં છુપાયેલો છે.
ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને મોકલવામાં આવેલ પત્રમાં લખવામાં આવ્યું છે કે, “આદરણીય મંત્રાલયને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઈમિગ્રેશન વિભાગને જણાવે કે અમૃતપાલ સિંહને નેપાળ થઈને કોઈપણ ત્રીજા દેશમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
તે જ સમયે, જો તે ભારતીય પાસપોર્ટ અથવા અન્ય કોઈ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને નેપાળથી ભાગવાનો પ્રયાસ કરે છે, તો તેની ધરપકડ થવી જોઈએ.
મળતી માહિતી મુજબ, અમૃતપાલ સિંહની અંગત વિગતો નેપાળની હોટલથી લઈને એરલાઈન્સ સુધીની તમામ સંબંધિત એજન્સીઓને મોકલી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ પાસે અલગ અલગ ઓળખ સાથે બહુવિધ પાસપોર્ટ હોવાના અહેવાલ છે. તે ૧૮ માર્ચથી દેશમાંથી ફરાર છે. જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના શાર્પ શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ વરિન્દર સિંહ જોહલ તરીકે કરી છે. અજનાળાની ઘટના સંદર્ભે આ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વરિન્દર સિંહ વિરુદ્ધ એનએસએ લગાવીને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ