Aapnu Gujarat
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસ સહિત અદાણીના 3 શેર સર્વેલન્સ હેઠળ મુક્યા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ અદાણી જૂથની ત્રણ કંપનીઓના શેરને શોર્ટ ટર્મ સર્વેલન્સ હેઠળ મુક્યા છે. તેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Enterprises), અદાણી પાવર અને અદાણી વિલ્મર (Adani Wilmar)નો સમાવેશ થાય છે. NSEના પરિપત્ર પ્રમાણે આ સર્વેલન્સ ગુરુવારથી અમલમાં આવશે. આ લખાય છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 0.50 ટકા ઘટીને 2020 પર હતો જ્યારે અદાણી પાવરનો શેર 5 ટકા વધીને 195.90 અને અદાણી વિલ્મરનો શેર 5 ટકા વધીને 484 પર હતો.
અદાણી એન્ટરપ્રાઈઝિસને એક દિવસ પહેલાં જ NSE દ્વારા સર્વેલન્સમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝિસ એ અદાણી જૂથની મુખ્ય કંપની છે અને હિન્ડનબર્ગ રિપોર્ટ પછી તેના પર નજર રાખવામાં આવતી હતી.
શોર્ટ ટર્મ ASMમાં બે તબક્કા હોય છે. દરેક તબક્કામાં શેરને ઓછામાં ઓછા 5/15 સેશન માટે રાખવામાં આવે છે અને 6/16 સેશન પછી તેના પર ફરીથી સમીક્ષા કરવામાં આવે છે. હાલમાં લગભગ 29 કંપનીઓ શોર્ટ ટર્મ ASM ફ્રેમવર્ક હેઠળ છે. જ્યારે 88 કંપનીઓ લોંગ ટર્મ ASM હેઠળ છે. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જે જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી અને NDTVના શેર ગુરુવારથી સ્ટેજ-1ના સર્વેલન્સમાંથી નીકળીને લોંગ ટર્મ સર્વેલન્સના બીજા સ્ટેજમાં પ્રવેશ કરશે.

કોઈ પણ શેરમાં ચેડા થવાની શક્યતા હોય ત્યારે રોકાણકારોના હિત જળવાય તે માટે આ પ્રકારના સર્વેલન્સમાં મુકવામાં આવતા હોય છે. હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી જૂથના શેરોમાં લગભગ એક મહિના કરતા વધુ સમય સુધી ઘટાડો થયો હતો. પરંતુ ત્યાર પછી તેમાં રિકવરી આવી છે. છેલ્લા છ દિવસથી અદાણીના શેર વધી રહ્યા છે જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર લગભગ બમણો થઈ ગયો છે. અદાણી જૂથની માર્કેટ કેપિટલ સાત લાખ કરોડ રૂપિયાથી નીચી જતી રહી હતી તે હવે નવ લાખ કરોડ રૂપિયાથી વધી ગઈ છે.

ASM હેઠળ મુકવામાં આવતા શેરોને ટ્રેડ ટુ ટ્રેડ (T2T સેગમેન્ટ)માં મુકવામાં આવે છે અને ટ્રેડેડ વેલ્યૂની 100 ટકા રકમ માર્જિન તરીકે બ્લોક થઈ જાય છે. એટલે કે તેમાં કોઈ ઈન્ટ્રા ડે લિવરેજ આપવામાં આવતું નથી. આ ઉપરાંત ASM કેટેગરીમાં મુકવામાં આવેલા શેરોને ગીરવે મુકી શકાતા નથી. જો કોઈ શેર પહેલેથી ગીરવે મુકવામાં આવ્યા હોય અને પછી તે એએસએમ હેઠળ જાયતો કોલેટરલ માર્જિન આપવામાં આવતું નથી અને કોલેટરલની વેલ્યુ તે શેરની સામે મેળવવામાં આવેલા કોલેટરલ જેટલી ઘટી જાય છે. અદાણી જૂથે 7374 કરોડના શેર બેક્ડ ફાઈનાન્સિંગના પ્રિપેમેન્ટની જાહેરાત કરી હતી. એપ્રિલ 2025માં તેની મુદત પાકે તે પહેલા તેનું પ્રિપેમેન્ટ કરવામાં આવ્યું છે.

Related posts

सुप्रीम कोर्ट ने NBCC से मांगे सुझाव, पूछा- आम्रपाली के बिना बिके फ्लैटों को कैसे बेचा जाए

aapnugujarat

Air India net loss of 8,550 crore in FY 2019 : Puri

aapnugujarat

FPI દ્વારા ઇક્વિટીથી કુલ ૪૦૮૯ કરોડ રૂપિયા પરત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1