સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે નિર્દેશક અભિષેક કપુરની ફિલ્મ કેદારનાથ મારફતે બોલિવુડમાં પ્રવેશ કરવા માટે જઇ રહી છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સુશાંત સિંહ રાજપુત રહેનાર છે. આ ફિલ્મની પટકથા ઉત્તરાખંડના એક વિસ્તારની છે. સારા ફિલ્મમાં એક પહાડી યુવતિની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મનુ શુટિંગ મોટા ભાગે ભારતમાં જ કરવામાં આવી રહ્યુ છે. શુટિંગ મોટા ભાગે ઉત્તરાખંડ અને તેના આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મની પટકથા અન્ ફિલ્મો કરતા અલગ રહેશે. આ વર્ષના અંત સુધી ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. એકતા કપુર પ્રોડક્શન હાઉસ ફિલ્મનુ નિર્માણ કરનાર છે. ફિલ્મની પટકથાને સૌથી પહેલા સુશાંત સિંહ રાજપુતને સંભળાવવામાં આવી હતી. સુશાંતે લાંબી ચર્ચા બાદ આ ફિલ્મના હિસ્સા તરીકે રહેવાની મંજુરી આપી હતી. સારાને પણ આ પ્રોજેક્ટ પસંદ છે. મલાઇકા અરોરા ખાન પણ સારા ખાનની મદદ કરી રહી છે. જો કે સારાની ફિલ્મને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સારા કરણ જોહરની ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. જો કે હવે આ અહેવાલને રદિયો મળ્યો છે. પહેલા રિતિક રોશન સાથે ડેબ્યુ કરવાના હેવાલ આવ્યા હતા. જો કે મોડેથી હેવાલ આવ્યા હતા કે રિતિક રોશનની ફિલ્મમાં કામ કરવાનો સારાએ ઇન્કાર કર્યો હતો. શ્રીદેવીની પુત્રી સાથે તેના કોલ્ડવોરને લઇને પણ હેવાલ આવી ચુક્યા છે. સારા ખાન બોલિવુડમાં અન્ટ્રી કરે તેમાં કોઇ આશ્ચર્ય નથી. કારણ કે સ્ટાર પુત્રો અને પુત્રીઓ સતત એન્ટ્રી કરી રહી છે.