Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાકિસ્તાન ટીમ પાસે બેન્ચ સ્ટ્રેન્થ નથી : દાનિશ કનેરિયા

૨૮મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મહત્વની મેચ રમાવાની છે. આ મેચ પહેલા ઘણી ચર્ચાઓ અને જૂના આંકડા ફંફોસવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભારતીય ટીમ ફેવરિટ માનવામાં આવી રહી છે અને પાકિસ્તાનની ટીમ બરાબરની ટક્કર આપશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, જોકે, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ હાલ ટીમની જે સ્થિતિ છે તેનાથી ઘણાં દુઃખી છે. દાનિશ કનેરિયાએ ટીમના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ખેલાડીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં ક્રિકેટ પોલિસી બહુ જ ખરાબ છે, ટીમ પાસે કોઈ બેન્ચ સ્ટ્રેન્થ જ નથી. નોંધનીય છે કે હાલ ટીમનો શાનદાર બોલર ગણાતો શાહીન આફ્રિદી ઈજાના કારણે ટીમમાંથી બહાર છે, આવામાં ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેની કમી વર્તાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન બન્ને ટીમો એશિયા કપમાં કુલ ૧૪ વખત આમને સામને આવી છે જેમાંથી ભારતે ૮ અને પાકિસ્તાને ૫ મેચ જીતી છે. જ્યારે એક મેચનું પરિણામ નહોતું આવ્યું. જોકે, પાછલા ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની શરમજનક હાર થઈ હતી તેના કારણે પાકિસ્તાની ટીમ થોડી જોશમાં હશે તેવું માનવામાં આવી રહ્યું છે. એ સમયે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમના કંગાળ પ્રદર્શનના કારણે પાકિસ્તાને ૧૦ વિકેટથી મેચ આસાનીથી જીતી લીધી હતી.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ દાનિશ કનેરિયા સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અને પાકિસ્તાનની ટીમની સ્થિતિ અંગે વાતચીત કરવામાં આવતા પાકિસ્તાન માટે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ વચ્ચે ૬૧ ટેસ્ટ અને ૧૮ વનડે મેચ રમીને. ૨૭૦થી વધુ વિકેટ પણ લેનારા દાનિશે શાહીન આફ્રિદી સિવાય જસપ્રિત બુમરાહની ગેરહાજરી અંગે પણ વાત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૮ ઓગસ્ટે મેચ રમાવાની છે. પાછલી વખતે ટી૨૦ વર્લ્ડકપમાં બન્ને ટીમ ટકારાઈ ત્યારે ભારતે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડી રહ્યો હતો, આ વખતે કોનો હાથ ઉપર રહેશે? તેવા સવાલના જવાબમાં દાનિશે સ્પષ્ટ કહી દીધું કે, હાલના ફોર્મ પ્રમાણે જોવા જઈએ તો, ભારત. ભારતે ઘણી ટી૨૦ મેચ રમી છે. તેમણે પોતાની ટીમમાં અને કેપ્ટનશિપમાં તથા મેનેજમેન્ટમાં ઘણાં સુધારા-વધારા કર્યા છે. ભારત પાસે એ, બી અને સી ટીમો છે. જ્યારે પાકિસ્તાન તેની એક ટીમ પણ સરખી બનાવવા માટે સક્ષમ નથી. તેઓ સંઘર્ષ કરી રહ્યા છે.
પાકિસ્તાની ટીમ મેન્જમેન્ટની ભૂલોને ઉજાગર કરી છે, પાકિસ્તાનને પોતાના વિકેટો લેતા બોલરની ખોટ વર્તાશે. પાકિસ્તાનમાં હાલ એકમાત્ર વિકેટો લેતો બોલર શાહીન છે, હવે તેની ખોટ કોણ પુરી કરશે? વિરોધીઓ પર પ્રેશર કોણ બનાવશે? કોઈ અન્ય બોલર તેની નજીક પણ પહોંચી શકે છે? ભારત એશિયા કપમાં સ્ટ્રોંગ માઈન્ડસેટ સાથે એન્ટ્રી કરી રહ્યું છે, ટીમમાં સ્પિનર્સને મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ છે. ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત લાગી રહ્યું છે.
આ સાથે દાનિશે ભારતના બોલિંગ ડિપાર્ટમેન્ટની સાથે બોલિંગ ડિપાર્ટમેન્ટની પણ ઘણી પ્રશંસા કરી છે. દિગ્ગજ ખેલાડી કેએલ રાહુલનું કમબેક થયું છે એટલે ટીમની સ્ટ્રેન્થ વધશે.
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી મેચમાં ભલે રાહુલે ૩૦ રન કર્યા હોય પણણ તેણે જે રીતે શોર્ટ્‌સ રમ્યા છે તે જોતા સાબિત થઈ રહ્યું છે કે રાહુલ ફરી ફોર્મમાં છે. આ ભારતીય ટીમ માટે સારી નિશાની છે, પરંતુ તે પાકિસ્તાન માટે સારું નથી.
પાકિસ્તાનમાં બેટિંગ ઓર્ડરની તકલીફ છે. ટીમના બેટિંગ ઓર્ડર વિશે વિચારો તો માત્ર બાબર આઝામ અને મોહમ્મદ રિયાઝ માત્ર બે જ નામ મગજમાં આવે છે. આ બે જ બેટ્‌સમેન છે કે જેઓ પાકિસ્તાની ટીમ માટે કમાલ કરી શકે છે.

Related posts

प्रद्युम्न ठाकुर हत्या केस : अपनी बात से पलटा छात्र : पिता का सीबीआई पर आरोप

aapnugujarat

ત્રાસવાદ સામે જંગમાં સાઉદી ભારત સાથે છે : ક્રાઉન પ્રિન્સ

aapnugujarat

पत्रकार अर्नब गोस्वामी को मुंबई पुलिस ने किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1