Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં જીપ ચાલકે બાઈકને ટક્કર મારતા બેના મોત

દેશ સહિત ગુજરાતમાં વારંવાર અકસ્માત સર્જાય છે અકસ્માતમાં મોતનો આંક પણ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ટ્રાફિક વિભાગ જુદી જુદી ટીમ બનાવી અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ રાખી લોકોને જાગૃત કરે છે તેમ છતાં કર્ણાવતી કલબની પાછળ રિંગરોડ જવાના રસ્તે એક જીપ ચાલકે બાઇકસવાર બે યુવાનોને ક્કર મારતા બંનેના મોત થયા હતા. જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રિક્ષાચાલક અખબાર વિતરકનું મોત નીપજ્યું હતું. અન્ય એક અકસ્માતમાં બાઇક પર હોસ્પિટલ જતા ડોક્ટરને કારચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ૨૭ જૂને ડોક્ટર હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી ૮.૪૫ વાગે કર્ણાવતી ક્લબ સામેના સર્વિસ રોડ પરના રિવેરા-૧૧ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને પગના ભાગે કાર અથડાવતાં તેઓ ઊછળીને રોડ પર પટકાતાં ડાબા પગની ઘૂંટીના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં ૧૦૮માં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડોક્ટર હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝવેરી ચાર રસ્તા પર એસપી રિંગરોડ જવાના રોડ પર રોંગ સાઇડે પૂરઝડપે આવી રહેલી જીપે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવાનો ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરે તે પહેલાં જ સુરેશ ઠાકોર (૨૨) અને સારંગ કોઠારી (૨૧)ના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. જ્યારે જીપ ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે એસજી વન ટ્રાફિક પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. વેજલપુરમાં રહેતા દિનેશ સરોજ (ઉં.૨૮) સીએનજી રિક્ષામાં ન્યૂઝપેપરની ડિલિવરી કરે છે. ૨૭ જૂને ગાંધીનગરથી પરત આવતા હતા ત્યારે એસજી હાઈવે પર કોઈ અજાણ્યા વાહનચાલકે રિક્ષા સાથે અકસ્માત કરતા દિનેશને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જતાં, મોત નીપજ્યું હતું. આ અંગે પપ્પુ પાસીએ એસજી હાઈવે-૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજી ઘટનામાં, ચાંદખેડામાં રહેતા ડો.હિમાંશુ સોલંકી (ઉં.૩૪) ૨૭ જૂને સવારે ડો. હિમાંશુ બુલેટ લઈને હોસ્પિટલ જવા નીકળી કર્ણાવતી ક્લબ સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે શેલ્બી હોસ્પિટલ બાજુથી પૂરઝડપે આવતા કારચાલકે ડો. હિમાંશુને કાર અથડાવતાં તેઓ પટકાતાં ડાબા પગે તેમ જ શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે ડો.હિમાંશુ સોલંકીએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

Related posts

ત્યજી દેવાયેલી બાળકીની હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.વી.ગોહિલે વાલી બની સારવાર કરાવી

aapnugujarat

દમણમાં પત્નીએ 2 સંતાનોની સામે જ કરી નાખી પતિની હત્યા

aapnugujarat

સુરતમાં પાંચ ટ્રક કેરીનો જથ્થો જપ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1