આઈપીએલ ૨૦૨૨ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને મોટો આંચકો લાગ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને આઇપીએલ ૨૦૨૨માં મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવ્યા બાદ મોટો ર્નિણય લીધો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન આઇપીએલ ૨૦૨૨ છોડીને વતન રવાના થઈ ગયા છે. વિલિયમસન બીજી વખત પિતા બનવાના છે અને આ માટે તેઓ પત્ની અને પરિવાર સાથે રહેવા માટે ઘરે રવાના થયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટિ્વટ કરીને આ જાણકારી આપી છે. જીઇૐ ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે, અમારો કેપ્ટન કેન વિલિયમસન તેના પરિવારમાં નવા આગમનને આવકારવા ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે. સનરાઇઝર્સ કેમ્પમાં દરેક વ્યક્તિ કેન વિલિયમસન અને તેમની પત્નીને સુરક્ષિત ડિલિવરી અને તમામ ખુશીની શુભેચ્છા પાઠવે છે. સનરાઇઝર્સ હૈદરાબાદને તેની છેલ્લી મેચ ૨૨ મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમવાની છે અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી વિલિયમસનની ગેરહાજરીમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે કોઇ ર્નિણય લીધો નથી. હૈદરાબાદની ટીમે આ સિઝનમાં અત્યાર સુધી ૧૩ મેચોમાં છમાં જીત મેળવી છે અને સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ હજુ પણ આઠમા ક્રમે છે અને પ્લેઓફની રેસમાં યથાવત છે.
આગળની પોસ્ટ