મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ
ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઇ રમેશ રાજ્યગુરુ વય નિવૃતિ ના કારણે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ વિજય ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.વી.ચુડાસમા, પીએસઆઇ હાર્દિક ચુડાસમા, સરકારી વકીલ સખનપરા સાહેબ,ઉના રેફરલ હોસ્પિટલના જાદવ સાહેબ, વૈદ પી.વી. દમણિયા ઉપસ્થિત રહયા હતા.આ તકે જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા,સામાજિક આગેવાન સંજયભાઈ બામભણીયા,નગર પાલિકા ઉપપ્રમુખ ચંદ્રશભાઈ જોશી,પ્રેસ ક્લબ ઓફ ઉના ના પ્રમુખ જયેશભાઈ ગોંધીયા,પત્રકાર હરેશભાઇ ટીલવાણી,મુસ્લિમ સમાજ ના આગેવાન યુશફભાઈ તવકકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પી.આઇ.ચોધરી.અનેપી.એસ.આઇ.જે.વી.ચુડાસમા,હાર્દિક ચુડાસમા એ રમેશભાઈ રાજ્યગુરુ સાથે ડ્યૂટી દરમ્યાન તેમની નિષ્ઠા, નીડરતા અને બેદાગ કેરિયર વિશે પોતાના અનૂભવો શેર કર્યા હતા.
રમેશભાઈ રાજ્યગુરુ વિદાય સમારોહમાં આગેવાનો એ પોતાના અનુભવ વગોડિયા હતા, તેમની કામ કરવાની પદ્ધતિ, લોકોને સંતોષકારક જવાબ આપવા અને યોગ્ય માર્ગદર્શન આપવાની પદ્ધતિ આગેવાનોએ વખાણ કર્યા હતી આ તકે સ્ટાફ મિત્રો દ્વારા તેમને મોમેન્ટો આપી એમને વિદાય સમારોહ ને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન હરેશભાઇ ટિલવાણી એ કર્યું હતું, સ્વરુચિ ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ થયો હતો