બિગ બૉસ ૧૪માં કન્ટેસ્ટન્ટ બનીને આવેલા એજાઝ ખાન અને પવિત્રા પુનિયા શો બાદ પણ ચર્ચામાં છવાયેલા છે. બંને શો દરમિયાન મળ્યા અને એકબીજાને દિલ દઈ બેઠા. એજાઝ ખાને પવિત્રા પુનિયાને શોમાં જ પ્રપોઝ કર્યુ હતુ. આ રોમેન્ટીક કપલ હાલમાં દરેક જગ્યાએ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા દેખાય છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન પહેલા એક ઘરમાં શિફ્ટ થવાના છે. બંનેએ લિવ-ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
બૉલિવુડ લાઈફે સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે એજાઝ અને પવિત્રા પોતાના રિલેશનને વધુ સમય આપવા માંગે છે અને લગ્ન પહેલા એકબીજાને સારી રીતે સમજવા માંગે છે. માટે બંને હવે લિવ ઈનમાં રહેવા માંગે છે. બંને પોતાનુ ઘર એકસાથે શેર કરવા માટે ઘણા ઉત્સાહિત છે. એજાઝ ખાને ઘણા ઈન્ટરવ્યુમાં એ વાત સ્પષ્ટ કહી છે કે તે પવિત્રા સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ આ લગ્ન ક્યારે થશે તે હજુ તે નથી કહી શકતા. અભિનેત્રીએ પણ લગ્ન માટે હા કહી દીધી છે.
એજાઝે કહ્યુ હતુ કે તેને લગ્ન માટે હજુ ઘણા પાપડ વણવા પડશે. એજાઝે કહ્યુ હતુ, ’લગ્ન ઈંશા અલ્લાહ જરૂર થશે અને યોગ્ય સમયે થશે. અમે આંગળીને ક્રોસ કરીને બેઠા છે. જો બધુ ઠીક રહ્યુ તો હું અને પવિત્રા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લઈશુ.’ એજાઝે વાતચીતમાં એ પણ કહ્યુ કે બંને પોત-પોતાના પરિવારને આ વિશે વાત કરી રહ્યા છે. વળી, પવિત્રા પુનિયાએ કહ્યુ હતુ કે તે એજાઝ ખાન સાથે આ રિલેશન માટે સીરિયસ છે અને પરિવારની સંમતિ બાદ લગ્ન કરવાની છે.
પાછલી પોસ્ટ