Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠામાં નાગણેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

સાબરકાંઠા જીલ્લાના રાજેન્દ્રનગર ખાતે આવેલ નાગણેશ્વરી માતાજીનો આજે ૧૧ મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯માં રાજસ્થાનના નગના ખાતેથી લાવેલ માતાજીની જ્યોત રાજેન્દ્રનગરના ક્ષત્રિય કુંપાવત પરિવાર દ્વારા નાગણેશ્વરી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ગ્રામજનોનું માનવું છે કે નાગણેશ્વરી માતાજીની સ્થાપ્ના પછી ગામમાં સુખ શાંતિ છે. માતાજીના અનેક પરચા પણ અપરંપાર છે. રાજેન્દ્રનગરનો કુંપાવત પરિવાર દર વર્ષે માતાજીનો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવે છે અને માતાજીની અતૂટ શ્રદ્ધા હોવાના કારણે આજુબાજુના ગ્રામજનો પણ દર રવિવારે માતાજીના દર્શનાર્થે આવે છે. પાટોત્સવ દરમિયાન રાજેન્દ્રનગરના વતની ભૃગૃવેન્દ્રસિંહ કુંપાવત નાની ઉંમરમાં સમાજ સેવામાં મોટી નામના ધરાવતા સેવાભાવીનું ગામના અગ્રણીઓ સ્વાગત કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

बीजेपी ने अपनी सुची जारी करते समय जातिसमीकरणो पर ध्यान रखा

aapnugujarat

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

aapnugujarat

માલધારીઓ માટે સરકારે કરી મોટી વ્યવસ્થા, ૧૨ જેટલી રેલવે રેક કચ્છમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1