વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ઘણી લિઝ આવેલી છે. કેટલાંક લીઝ હોલ્ડરો ખાણ ખનીજના તેમજ અન્ય નીતિ નિયમો નેવે મૂકી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે જેને લઇ આજે કરણેટના ગ્રામજનો આવી જ એક લીઝમાં ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીંયા અમારા ગામના એસટી એસસી સમાજના લોકોનું સ્મશાન આવેલું છે તદઉપરાંત ડભોઇ નગરપાલિકાના વોટર વર્કસ પંપ નજીક આવેલા છે જેમાંથી ડભોઇના લોકોને પીવાનું પાણી ત્યાંથી મળે છે અને ડભોઇથી સંખેડાને જોડતો મુખ્ય બ્રિજ પણ આવેલો છે. સરકારનાં નિતિ નિયમો મુજબ અને ખાણ ખનીજના નિયમો જોવા જઈએ તો આવા બ્રિજ પાસે વોટર વર્કસ પાસે તેમજ સ્મશાન પાસે આવી કોઈ પરવાનગી આપવામાં આવતી નથી એમ છતાં આવી લીઝમાં કોનાં આશીર્વાદથી આવી લીઝ ચાલી રહી છે તે આવનાર સમય જ બતાવશે. તલાટી દ્વારા ડેપ્યુટી કલેકટર તેમજ કલેકટર સુધી લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના પગલાં લેવાયા નથી ત્યારે આજે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી મિડિયાનો સહારો લીધો હતો.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)