Aapnu Gujarat
રાષ્ટ્રીય

નેપાળની આડોડાઈ, ડેમનું કામ અટકાવ્યું

ભારત અને નેપાળની સીમા પર ચાલી રહેલો વિવાદ હજી પણ યથાવત છે.નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે.નેપાળની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે.જેને રોકવા માટે સરકારે બંધનુ નિર્માણ શરુ કર્યુ છે.જેને નેપાળે પોતાની જમીન બતાવીને બાંધકામ રોકાવી દીધુ છે.
નેપાળના સુરક્ષા દળોના જવાનોએ તેમજ નજીકના ગામના લોકોએ ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ કરી હોવાના પણ અહેવાલો છે.૩૦ મેથી બંધનુ કામ રોકાઈ ચુક્યુ હોવાથી સરકારની સૂચના પ્રમાણે ભારત અને નેપાળની એક ટીમે વિવાદીત જગ્યાનો સર્વે કર્યો છે.જે નદી પર આ બંધ બંધાઈ રહ્યો છે તે નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે.૨૦૧૭માં તેમાં વિનાશક પૂર આવ્યા બાદ અહીંયા બનાવાયેલા ડેમને ઉંચો કરવાનુ કામ શરુ કરવામાં આવ્યુ છે.
જોકે નેપાળે હવે આડાઈ કરીને ડેમના કેટલાક હિસ્સાનુ કામ રોકી દીધુ છે.

Related posts

रेलवे की पटरियों का भी स्वच्छता सर्वे किया जाएगा

aapnugujarat

अनंतनाग में आतंकियों ने पुलिस टीम पर किया हमला, एक कर्मी घायल

aapnugujarat

सुशील मोदी का मानहानि केस : 6 जुलाई को पटना जाएंगे राहुल गांधी, कोर्ट में होंगे पेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1