Aapnu Gujarat
બિઝનેસ

એર ટિકિટ બુક કરાવવા આધારકાર્ડનો નંબર આપવો પડશે

જેમ રેલવે ટિકિટ ઓનલાઇટ બૂક કરાવતી વખતે ફોટો આઇડીનો નંબર આપવો પડે છે તેમ હવે એર ટિકિટ બૂક કરાવતી વખતે પણ ફરજિયાત પાસપોર્ટ કે આધાર કાર્ડનો નંબર આપવો પડશે. કેન્દ્ર સરકાર આ વ્યવસ્થા ત્રણથી ચાર મહિનામાં લાગુ કરવા જઈ રહી છે.ઉડ્ડયન મંત્રી જયંતી સિંહાએ બુધવારે જણાવ્યું હતું કે આગામી ૯૦થી ૧૨૦ દિવસ બાદ કોઈ વ્યક્તિ પાન, આધાર કે પાસપોર્ટ નંબર આપ્યા વગર એર ટિકિટ બૂક નહીં કરાવી શકે. અમે અત્યારે એ જોઈ રહ્યા છીએ કે યુનિક આઇડી માટે સૌથી આસાન કયું આઇડી હોઈ શકે, જેનાથી મહત્તમ યાત્રી આ વ્યવસ્થા હેઠળ આવરી શકાય.અત્યારે એર ટ્રાવેલર્સે બોર્ડિંગ પાસ ઇશ્યૂ કરાવતી વખતે આઇડી પ્રૂફ બતાવવું પડે છે. જ્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સે પાસપોર્ટ નંબર આપવો પડે છે. હવે આધાર, પાન અથવા પાસપોર્ટ નંબર આપવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી રહી છે. જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક ગ્રૂપ રચવામાં આવ્યું છે જે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મુસાફરો આસાનીથી ટ્રાવેલ કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરી રહ્યું છે.ઉડ્ડયન મંત્રી સિંહાનું કહેવું હતું કે એર ટ્રાવેલ માટે માત્ર આધાર ફરજિયાત કરવામાં નહીં આવે. કારણ કે ડિજિટલ ઓળખ માટે અન્ય પુરાવાઓ પણ માન્ય રાખી શકાય તેમ છે. આ માટે એક શ્વેતપત્ર જારી કરવામાં આવશે અને ટ્રાવેલર્સ પાસેથી તેમના ઓપિનિયન પણ મંગાવવામાં આવશે. જેમની પાસે બાયોમેટ્રિક ઓળખ હશે તેમની એરપોર્ટ પર આવન જાવન આસાન બની રહેશે.

Related posts

વેપારીઓ માટે રાષ્ટ્રીય વેપાર કલ્યાણ બોર્ડની રચના કરાશે : રાષ્ટ્રીય વેપાર સંમેલનમાં નરેન્દ્ર મોદીએ ખાતરી આપી

aapnugujarat

विजय माल्या को २ अरब का झटका देगी शराब कंपनी

aapnugujarat

સેંસેક્સ ૩૧૧ પોઇન્ટ ઉછળીને ૩૫૦૦૦ની સ્પાટીને પાર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1