Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળમાં ભાજપના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો

કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં બે અજાણ્યા શખ્સોએ ભાજપના જિલ્લા કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો, જોકે સદ્‌નસીબે કાર્યાલયમાં કોઇ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના નિવારાઇ હતી. પેટ્રોલ બોમ્બ હુમલામાં ભાજપના કાર્યાલયની કેટલીક ખુરશીઓ અને અન્ય સાધનસામગ્રી સંપૂર્ણપણે સળગી ગઇ હતી.ભાજપના જિલ્લા પ્રમુખ એસ. સુરેશે એવો આક્ષેપ કર્યો હતો કે આ હુમલા પાછળ સીપીઆઇએમનો હાથ છે. તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ બોમ્બ હુમલો રાત્રે ૮-૩૦ કલાક આસપાસ થયો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે ઘણી મોડી પહોંચી હતી. હુમલા સમયે કાર્યાલયમાં કોઇ હાજર નહોતું. આ હુમલો કયા કારણસર અને કોણે કર્યો છે તે અંગે હજુુ સત્તાવાર કોઇ ખુલાસો થઇ શક્યો નથી.ભાજપે આ પેટ્રોલ બોમ્બ હુમલાના વિરોધમાં આજે જિલ્લામાં આજે સવારે ૬-૦૦થી સાંજના ૬-૦૦ સુધી બંધનું એલાન આપ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ખાતે સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરી સાથે કરવામાં આવેલી ઝપાઝપીનો બદલો લેવા આ હુમલો કરવામાં આવ્યો હતો.

Related posts

૬ કરોડથી વધુ જનધન ખાતા નિષ્ક્રિય

aapnugujarat

નેરળથી માથેરાન પહોંચવાનો એક વધુ વિકલ્પ મળશેઃ છ મહિનામાં મળશે રોપવે સુવિધા

aapnugujarat

कांग्रेस हेडक्वार्ट्रर से कुछ ही दूरी लगाई गई राफेल की एक प्रतिकृति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1