Aapnu Gujarat
મનોરંજન

ઐશ્વર્યાને લઈ વિવેક ઓબેરોયના ટિ્‌વટ પર સલમાન ખાને કહ્યું કે તે અન્ય લોકોના ટ્‌વીટ પર ધ્યાન આપતો નથી

બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય મારફતે ઐશ્વર્યા રાય પર શેર કરેલા મીમને લઈ સોશિયલ મીડિયા પર જબરદસ્ત હોબાળો થયો છે. આ મીમમાં ઐશ્વર્યાની પર્સનલ લાઇફને ટાર્ગેટ કરવામાં આવી હતી.
વિવેકના આ ટ્‌વીટ બાદ માત્ર યૂઝર્સે જ નહીં પરંતુ બોલિવૂડના કેટલાક એક્ટર્સે પણ વિવેક ઓબેરોયની ટીકા કરી છે. જોકે હોબાળો થયા બાદ વિવેકે આ વિવાદાસ્પદ ટ્‌વીટને ડિલીટ કરી છે અને માફી માંગી છે.વિવેક ઓબેરોયના આ વિવાદાસ્પદ ટ્‌વીટનો મુદ્દો નેશનલ કમીશન ઓફ વિમન સુધી પહોંચ્યો હતો. જેની તપાસ કરી કમીશને વિવેકને નોટિસ ફટકારી આ વિશે જવાબ માંગ્યો છે. જ્યારે વિવેકે માફી માંગી કહ્યું કે તે ક્યારે કોઈ મહિલાનું અપમાન કરવાનો ઇરાદો રાખતો નથી. તમને જણાવી દઈએ કે વિવેક દ્વારા શેર કરવામાં આવેલ મીમમાં એશ્વર્યા રાય સિવાય સલમાન ખાન, વિવેક ઓબેરોય અને અભિષેક બચ્ચન પણ હતા.
વર્ષ ૨૦૦૩માં ઐશ્વર્યાના કારણે જ બન્ને એક્ટર્સ હેડલાઈનમાં હતા.જોકે આ વિવાદ વિશે જ્યારે સલમાન ખાનને પૂછવામાં આવ્યું તો તેને પણ અન્ય સેલેબ્સની જેમ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. સલમાને કહ્યું કે તેઓ પહેલાની જેમ હવે ટિ્‌વટર પર એક્ટિવ રહેતો નથી. તેને કહ્યું કે તેની પાસે એટલો ટાઇમ નથી કે ટ્‌વીટ કરે અથવા અન્ય લોકોના ટ્‌વીટ વાંચે. સલમાને કહ્યું કે તેઓ અન્ય લોકોના ટ્‌વીટ પર ધ્યાન આપતો નથી.
ઉલ્લેખનીય છે કે સલમાન હાલ તેની ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે ૫મી જૂને ઈદ પર રિલીઝ થવાની છે.

Related posts

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

aapnugujarat

અનન્યા પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ચાહકોનો ધસારો

aapnugujarat

‘कभी ईद कभी दिवाली’ में नजर आएंगी पूजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1