Aapnu Gujarat
ગુજરાત

શંભુ મહારાજના કાર્યક્રમમાં ઝપાઝપીથી ભાજપ-કોંગ્રેસના સંસ્કારો ખુલ્લા પડ્યા : હાર્દિક પટેલ

કેરળમાં ગૌહત્યાના વિરોધમાં અમદાવાદમાં ઉપવાસ આંદોલન મામલે કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ મામલે સુરતમાં હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે શંભુ મહારાજના કાર્યક્રમમાં ઝપાઝપીથી પર કહ્યું કે બંને પક્ષોના સંસ્કારો ખુલ્લા પડ્યા છે. જ્યારે આ ઉપરાંત તેણે કોંગ્રસનો બચાવ પણ કર્યો.કેરળમાં ગૌહત્યાના વિરોધમાં સોલામાં ઉપવાસમાં ઉતરેલા સાધુ-સંતોના કાર્યક્રમમા કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા રાજદ્રોહના કેસમાં સુરત હાજરી ભરવા આવેલા હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
રાજદ્રોહ કેસમાં હાજરી ભરાવવા આવેલા હાર્દિકે કહ્યું કે ચૈતન્ય શંભુ મહારાજના કાર્યક્રમમાં થયેલી ઝપાઝપીમાં બંને પક્ષના સંસ્કારો ખુલ્લા થઇ ગયા છે. જો કે અહીં હાર્દિક પટેલે કેરળમાં ગૌહત્યા મુદ્દે માછલા ધોવાતા હાર્દિકે કોંગ્રેસનો બચાવ કર્યો હતો.બીજી તરફ અલ્પેશે રાજકીય પક્ષ બનાવવાની કરેલી કવાયતના સવાલમાં હાર્દિકે પાટીદાર સમાજનો પૂરતો ટેકો તેને મળતો ન હોવાનો પણ સંકેત આપ્યો હતો. તેણે અમિત શાહના આદિવાસી પરિવારને ત્યાં ભોજનથી કોઇ રાજકીય લાભ નહી થાય તેમ કહ્યું હતું.

Related posts

મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇ સાવચેતી રખાશે

aapnugujarat

અનામતની જાહેરાત લોલીપોપ સાબિત ન થાય : હાર્દિક પટેલ

aapnugujarat

રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ માટે ગુજરાત આવે તેવી શક્યતા

editor

Leave a Comment

UA-96247877-1