Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામ લઠ્ઠાકાંડમાં મૃતાંક વધીને ૧૩૩ ઉપર પહોંચ્યો

આસામમાં લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો આજે વધીને ૧૩૩ ઉપર પહોંચ્યો હતો. ૨૦૦થી વધુ લોકો હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગોલાઘાટ અને જોરહાટ જિલ્લામાં આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે, મોતનો આંકડો ૧૩૩ ઉપર પહોંચ્યો છે. સેંકડો લોકો હજુ સારવાર હેઠળ છે. બીજી બાજુ આસામમાં ઝેરી શરાબના નિર્માણ અને વેચાણના સંદર્ભમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ ઝેરી શરાબને આસામી ભાષામાં સુલાઈમુડ કહેવામાં આવે છે. બીજી બાજુ આ શરાબના સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ૨૨મી ફેબ્રુઆરી બાદથી ૪૮૬૦ લીટર શરાબનો જથ્થો જબ્ત કરાયો છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે, આસામના ગોલાઘાટ જિલ્લાના એક ચાના બગીચામાં ઝેરી શરાબ પીધા બાદ હજુ સુધી ૧૩૩ લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં અનેક મહિલાઓનો સમાવેશ થાય છે. હજુ પણ જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની હોસ્પિટલમાં ૨૦૦થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. ૪૦૦થી વધુ લોકોએ ગુરૂવારના દિવસે ચાના એક બગીચામાં શરાબનો ઉપયોગ કર્યો હતો. શરાબની એક દુકાનમાંથી આ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો સાલીમીરા ચા બગીચામાં કામ કરી રહ્યા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલે ઘટનાની તપાસના આદેશ કરી દીધા છે. ઘટનાને લઈને જિલ્લાના બે એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોનું કહેવું છે કે દેશી ઝેરી શરાબ પીધા બાદ આ તમામ લોકોના મોત થાય હતા. હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના લોકોની હાલત ગંભીર હતી. મોતને લઈને ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અપર અસામ મંડળ સોનવાલના મામલાની તપાસનો આદેશ જારી કર્યા છે. આસામમાં આક્રમક કાર્યવાહીનો દોર હવે શરૂ થઈ ચુક્યો છે. જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે ૨૦૦થી વધુ લોકો હજુ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Related posts

બિહારમાં પાંચ સીટો ઉપર નાના પક્ષોની ભૂમિકા રહેશે

aapnugujarat

૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા

editor

પંજાબ : ધાર્મિક કાર્યક્રમમાં ગ્રેનેડ હુમલો, ૩ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1