Aapnu Gujarat
મનોરંજન

ગોલમાલ-૫ બનાવવી નિર્દેશક રોહિત શેટ્ટીનું દાયિત્વ છે : અરશદ વારસી

બૉલીવુડ અભિનેતા અરશદ વારસી પોતાના પ્રશંસનીય અભિનય માટે ઓળખાય છે. તેઓ જે ફિલ્મમાં અભિનય કરે છે તે ફિલ્મ જોવાની લોકોમાં ઉત્સુકતા વધી જાય છે. અરશદના ચાહકો માટે એક સારા સમાચાર છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમ્યાન અરશદે કહ્યું કે ‘ગોલમાલ-૫’ બનાવવી નિર્દેશક રોહિત શેટ્ટીનુ દાયિત્વ છે.
અરશદે ‘ગોલમાલ-૫’ બનવાને લઇને વાત કરી છે. અરશદે કહ્યું, “મને લાગે છે કે ‘ગોલમાલ-૫’ બનશે. ક્યાંને ક્યાંક ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટીનું દાયિત્વ છે અને તેઓ આ ફિલ્મને બનાવશે. પ્રશંસકો પણ આ ઈચ્છે છે. મારા હિસાબ મુજબ આ ફ્રેન્ચાઈઝી મજાક અને પ્રેમનો મેળ છે. સાથે જ આ પરીવારની સાથે બેસીને પણ જોઈ શકાય છે. ફિલ્મને લઇને દરેક બાબત સારી છે. તેને ના બનાવવાનું કોઈ કારણ નથી.” અરશદ વારસીની ફિલ્મ ‘ફ્રૉડ સૈયા’ હાલમાં જ રીલીઝ થઈ છે. સાથે જ તેની ફિલ્મ ‘ટોટલ ધમાલ’નું ટ્રેલર પણ આવી ગયુ છે.

Related posts

પતિના કારણે તેના જીવનની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે : જુલિયા રોબર્ટસ

aapnugujarat

સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

aapnugujarat

ફિટનેસને વધુ પ્રાથમિકતા આપે છે : પરિણિતી ચોપડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1