Aapnu Gujarat
ગુજરાત

દમણ-દીવ વચ્ચે દોડશે રો-રો ફેરી : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રમાંનરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વવાળી સરકાર આરૂઢ થઇ છે ત્યારથી સમુદ્દકાઠાનો વિકાસ અને ‘પોર્ટલેડ’ ડેવલપમેન્ટપર ભાર મૂકીને દેશભરનાં સમુદ્રકાઠાના વિસ્તારનો વિકાસ કરવા માટે કાર્યવાહી આરંભેલછે. આ માટે ‘સાગરમાલા’ જેવીમહત્વકાંક્ષી યોજના પણ અમલમાં મૂકેલ છે. અગાઉ પણગુજરાતવાસીઓના દશકો જુનું ‘ઘોઘા-દહેજ’ રો-રોફેરીનું સ્વપ્ન પુર્ણ કરવામાં આવેલ છે, ત્યારબાદ હવે ભારત સરકાર ‘દમણ-દીવ-દમણ’ની રો-રોફેરી કાર્યરત કરવા જઇ રહી છે. તથા આ માટે ભારત સરકારનાં શીપીંગ કોર્પોરેશન દ્વારાટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ રો-રો ફેરીનાં આરંભથી હાલનું ૬૧૫ કી.મી નું અંતરઘટીને માત્ર ૧૯૬ કી.મી.થઇ જશે, તથા હાલ જે ૧૦ કલાક જેટલો સમય લાગે છે, તે ઘટીનેમાત્ર ૨ કલાક થઇ જશે.આ અંગેવિગતો આપતા કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ છે કે “ગુજરાતનોદરિયાકાંઠો દશકો સુધી ઉપેક્ષીત રહ્યો છે, અને ગુજરાતનાં દરિયાકાંઠાને વિકાસનુંમાધ્યમ બનાવેલ છે. રો-રો ફેરી જેવી સુવિધાથી ગુજરાતનાં વિકાસને બળ મળશે જ, સાથેસાથે સ્થાનિક રોજગારી સાથે ઇંધણ અને સમયની પણ બચત થશે”.દમણ-દીવ રો-રો ફેરી માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ હોઈ, આગામીસમયમાં આ સુવિધા મળતા ગુજરાતની યશ કલગીમાં એક નવા યાઆમનો ઉમેરો થશે.

Related posts

હસમુખ પટેલે અમદાવાદ પૂર્વ બેઠકથી નામાંકન કર્યું

aapnugujarat

भूज-मांडवी हाइवे पर ट्रक ने एक्टिवा को टक्कर मारने पर मां-पुत्र की मौत

aapnugujarat

ફ્લાઇંગ અને સ્ટેટીક સર્વેલન્સની કામગીરી શરૂ : રોકડ અને સોનું જપ્ત કરવાના ૧૪ કેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1