Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘ટાઇગર અભી જિન્દા હૈ, ૫ વર્ષ પહેલાં પરત ફરી શકું છું મુખ્યમંત્રી હાઉસ’ : શિવરાજસિંહ

 મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. ભોપાલમાં સીએમ હાઉસમાં શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે શક્ય છે કે અહીં પરત આવવામાં ૫ વર્ષ પણ ના લાગે. મૂળે શિવરાજસિંહ સીએમ હાઉસમાં બુધની વિધાનસભાથી પહોંચેલો લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું કે શક્ય છે કે અહીં પરત ફરવામાં પાંચ વર્ષ પણ ન લાગે. ઉલ્લેખનીય છે કે, કમલનાથી કોંગ્રેસ સરકાર બસપા-સપા અને અપક્ષોના ભરોસે બની છે. અપક્ષના એ ધારાસભ્ય છે જે કોંગ્રેસથી નારાજ હતા. એવામાં જો અપક્ષ ધારાસભ્ય પોતાનું સમર્થન પરત લઈ લે છે તો સરકાર પર ખતરો ઊભો થઈ શકે છે. વિદાય સમારોહમાં શિવરાજસિંહ ચૌહાણે સરકાર ગઈ હોવા છતાંય પોતાની તાકાત એવી ને એવી હોવાનો દાવો કર્યો. શિવરાજસિંહે ફિલ્મી અંદાજમાં પોતાની તાકાતની જાહેરાત પણ કરી. શિવરાજસિંહે કહ્યું કે કોઈ ચિંતા ન કરો, ’ટાઇગર અભી જિન્દા હૈ’. આંખ ઉઠાવીને કોઈ જુએ તો ખરું. વિદાય સમારોહમાં બુધની વિધાનસભા વિસ્તારમાંથતી આવેલી બહેનોની આંખો તે સમયે છલકાઈ ગઈ જ્યારે પોતાના ભાઈ શિવરાજસિંહને મળવા પહોંચી હતી. વિદાય સમારોહ દરમિયાન ભાવુકતાથી ભરેલા એ ક્ષણો હતો જેમાં શિવરાજસિંહની પત્ની સાધના સિંહ પણ પોતાના આંસુ ન રોકી શક્યા. બાદમાં પૂર્વ સીએમે તમામને ચૂપ કરાવવા પડ્યા.

Related posts

યુપીને મેડિકલ ટ્યુરિઝમના હબ બનાવવા જાહેરાત

aapnugujarat

Money laundering case : ED issues fresh summons to DK Shivakumar

aapnugujarat

ત્રાસવાદી હુમલા થશે તો જવાબી કાર્યવાહીનાં વિકલ્પો ખુલ્લાં છે : સંરક્ષણમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1