Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી કરતા માયાવતી વધુ યોગ્ય : સુધીન્દ્ર ભદોરિયા

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રધાનમંત્રી પદની દાવેદારી પર વિપક્ષ તરફથી જ સવાલો ઉભા થયા છે. બસપાના નેતા સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે, પીએમ પદ માટે રાહુલ ગાંધીથી પણ સારા ઉમેદવાર માયાવતી છે. વિપક્ષી દળના નેતાઓ પણ તેઓને પીએમ પદ માટે જોવા ઈચ્છે છે.
બસપાના પ્રવક્તા સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે, વિપક્ષના પ્રધાનમંત્રી ઉમેદવારના રૂપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલનામાં માયાવતીને વધુ પસંદ કરે છે.
માયાવતી ચાર વાર ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની તુલનામાં પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રીના રૂપમાં માયાવાતીને ઘણો અનુભવ છે. જેથી તમામ લોકો માયાવતીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માગે છે.
આપને જણાવી દઇએ કે, બસપા અધ્યક્ષ માયાવતીએ પ્રેસનોટ દ્વારા જાહેર કરી સુધી સુધીન્દ્ર ભદોરિયાને અધિકારી પ્રવક્તા છે. અત્રે જણાવી દઇએ કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બસપા એક પણ સીટ પ્રાપ્ત કરી શકી નહોતી. પરંતુ દલિત અસ્મિતાના નામ ઉપર આગળ આવેલ બસપાએ પોતાની ખાસ નજર હાલ ઉત્તરપ્રદેશની ચૂંટણી પર કેન્દ્રીત કરી છે.

Related posts

बडगाम में आतंकी गिरफ्तार

editor

આધાર લિન્ક કરવાની સમય મર્યાદા ચુકાદા સુધી વધારાઈ

aapnugujarat

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1