Aapnu Gujarat
મનોરંજન

મી ટુ : બોલિવૂડના ધુરંધરો ક્યાં છે ? કેમ બોલતાં નથી ? : કંગના રનૌત

મેાખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે બોલિવૂડના ટોચના કલાકાર-કસબીઓને પડકાર્યા હતા અને કહ્યું હતું કે અત્યારે મી ટુ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ કહેવાતા ધુરંધરો ક્યાં છે ? એ લોકો કેમ કંઇ બોલતાં નથી ? ‘એ’ લિસ્ટના અભિનેતાઓ અને અભિનેત્રીઓ કેમ મોઢામાં મગ ભરીને બેઠી છે ? વિકૃત માનસ ધરાવતા પુરુષોની પોલ ખોલતી અભિનેત્રીઓ આટલું બધું બોલી રહી છે ત્યારે એ લિસ્ટના કલાકારો કેમ કશું બોલતા નથી ? શું એ લોકોને બધા દૂધે ધોયેલા ફિલ્મ સર્જકો મળ્યા હતા કે ?’ એવો આક્રોશ કંગનાએ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે પહેલી હરોળના કલાકારો બોલે તો આ પીડિત મહિલાઓને ઘણું પીઠબળ મળે અને ફરી વાર બોલિવૂડમાં આવી ઘટનાઓ બનતી ઓછી થાય. મારે એ મહિલાઓનો અવાજ બળકટ થાય એ જોવું છે. એ માટે એ લિસ્ટના કલાકારો બોલે એ અનિવાર્ય છે. તો જ પીડિત મહિલાઓને થોડી સુરક્ષિતતાનો અહેસાસ થાય. હજુ ગયા સપ્તાહે કેટલાક કલાકારોએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો સપોર્ટ માગ્યો હતો કે અમારી સાથે થયેલા ગેરવર્તન અંગે અમે બોલીએ છીએ ત્યારે તમારે અમને સપોર્ટ કરવો જોઇએ. સ્વર કિન્નરી લતા મંગેશકરે એક નિવેદન દ્વારા કહ્યું હતું કે આવું ગેરવર્તન કરનારા કલાકારોને સખ્ખત સજા થવી ઘટે છે.

Related posts

असफलता मुझे प्रभावित नहीं करती : जॉन

aapnugujarat

मैं कल्पना चावला की भूमिका निभाना चाहती हूं : वाणी कपूर

editor

હેટ સ્ટોરી-૪ માર્ચમાં રિલીઝ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1