Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ન્યુજર્સીમાં ‘વિશ્વ શાંતિ યજ્ઞ’નું આયોજન કરાયું

આજરોજ અમેરિકાનાં ન્યુજર્સી શહેરનાં રોયલ હાર્વડ પેલેસમાં ઓમ ક્રિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક આગેવાનો, ઉદ્યોગપતિ, ડૉક્ટર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વ શાંતિ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો દુનિયામાં સુખ-શાંતિ પ્રસ્થાપિત રહે. આ યજ્ઞને સફળ બનાવવા માટે ઈન્ડિયન ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપીનાં કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી અને આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીનાં સાંસદ શ્રી ઉદિત રાય તથા પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિશેષ હાજરી આપી હતી અને શ્રી વર્માએ જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણ માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે માનવ સમાજનાં ઉત્થાન માટે આવા યજ્ઞો થવા જોઈએ જે માત્ર દેશ ને જ નહીં  દુનિયાને લાભદાયક બને છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આનાથી સાકાર થાય છે. આ પ્રસંગે સુધીર પારેખ કે જેઓ ભારત સરકાર દ્વારા સન્માનિત થયેલાં છે તેઓએ પણ હાજરી આપી હતી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’ દૈનિકનાં સહતંત્રી શ્રી ભાવેશ વર્મા પણ વિશેષ હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી. એશિયા ટીવી ન્યૂઝ ચેનલમાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા અને ભાવેશ વર્માએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

Related posts

US-Mexico border wall, “world-class security system” will be virtually impenetrable : Trump

aapnugujarat

વોડાફોન અને આઈડિયાના મર્જરને આવતીકાલે મંજુરી મળશે

aapnugujarat

ઇઝરાયલમાં નેતન્યાહૂની વિદાઈ નક્કી

editor

Leave a Comment

UA-96247877-1